મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૮૦ કરોડ જેવી ભારે મોટી રકમનાં બેનામી વ્યવહાર થયા તેની તપાસ કોણ કરશે..? : રમેશ રબારી


SHARE











મોરબીમાં ૧૮૦ કરોડ જેવી ભારે મોટી રકમનાં બેનામી વ્યવહાર થયા તેની તપાસ કોણ કરશે..? : રમેશ રબારી

મોરબી જિલ્લાના રવાપર ગામે આવેલ જમીન સર્વે નંબર ૧૮૧ પૈકી ૧ માં આવેલ પ્લોટ ક્ષેત્રફળ એકર ૨-૨ ગુંઠા વાળો પ્લોટ મોરબીનાં જવાબદાર રાજકિય પક્ષનાં મોટા માથાએ રૂા.૧૮૦ કરોડમાં ખરીદ કરી દસ્તાવેજ બનાવેલ છે અને આ પ્લોટ પર સરકારનાં પ્રસ્થાપિત નિયમોનો ભંગ કરી મંજુરી વિના મોટા મોલ તથા રહેણાંક માટેના બહુમાળી ફ્લેટો, શોપીંગ સેન્ટર બનાવી કલ્પનાતીત મોટી કિંમતોમાં વેચાણ કરાશે અને માણસોના જાનમાલને નુકશાન ન થાય તે માટેની પણ કોઈ સુવિધા રાખવામાં આવેલ ન હોય ઉચ્ચકક્ષા આ બધા વિષયોની મૂળથી તપાસ કરીને મોટામાથાઓને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ મોરબીના માલધારી આગેવાન અને પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઇ રબારીએ કરેલ છે.

વધુમાં રમેશભાઇે પ્રશ્ન ઉઠાવ્યો છેકે આ મોટા રાજકારણી આવડી મોટી રકમ કયાંથી અને કેવી રીતે આપેલ છે ? તેમની આવકની તપાસ થવાની પણ માંગણી કરવામાં આવેલ છે. આ રાજકિય મોટા માથા કોણ છે ? અને તેની હાલની નાણાંકીય અને ભૂતકાળમાં તેઓની નાણાંકિય પરિસ્થિતી શું હતી ? તેની પણ તપાસ થવી જોઈએ. આ રાજકિય નેતાએ આવા મોટી રકમનાં મોરબી જિલ્લા સહિત અનેક જગ્યાએ અગાઉ પણ સોદાઓ કરેલ છે કે કેમ ? તેની પણ તપાસ થવી જરૂરી છે.

મોરબી જિલ્લામાં અનેક ધનાઢય લોકો રહે છે પણ અત્યાર સુધીમાં આવી જાતના વેચાણ દસ્તાવેજ અમારા માનવા મુજબ થયા નહીં હોય.તો ખરેખર જમીનની કિંમત અને થયેલ વેચાણ દસ્તાવેજની ચોકકસ રકમ સહિત વધારાની બેનંબરી લેતીદેતીની કડકપણે અને તટસ્થપણે તપાસ થવા રમેશભાઇ રબાપીએ માંગ કરેલ છે.આ ઈમારત બનતા સ્થાનિકે જમીન-મકાનના વહીવટમાં ભારે ઉછાળો થશે.જે સ્થાનિક લોકો માટે આફતરૂપ બનવા સંભવ હોઈ અને આ સોદામાં કાળા નાણાંનો વ્યવહાર થયાની સ્થાનિકે ચર્ચા હોય સમાજના હિતમાં યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે પગલા લેવામાં આવે તેવી માંગ ભારતના આવકવેરા વિભાગ સમક્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઇ રબારીએ કરેલ છે.






Latest News