મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીઓનું સરઘસ કાઢીને આકરી સજાની સમાજની માંગ


SHARE













મોરબીમાં મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીઓનું સરઘસ કાઢીને આકરી સજાની સમાજની માંગ

મોરબીમાં મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યા કરીને તેની લાશને સળગાવી નાખીને હત્યાના પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે બનાવ સંદર્ભ મૃતક યુવાનના દીકરાની ફરિયાદ લઈને પોલીસે 7 શખ્સોની સામે ગુનો નોંધ્યો હતો તે પૈકીના 5 આરોપી પકડાઈ ગયા છે જોકે, પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યો ન હોવાથી સુન્ની મુસ્લિમ કસબા જમાત અને મિયાણા સમાજ દ્વારા મોરબી જિલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર પાઠવીને હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીઓનું સરઘસ કાઢવા માટેની માંગ કરવામાં આવી છે

મોરબી શહેરમાં રમેશ કોટન મિલ પાસે રહેતા તાજમમદભાઈ ભટ્ટી (47) નામનો યુવાન ગત તા. 19/2 ના રોજ ગુમ થયો હતો ત્યારબાદ તેની હત્યા કરીને લાશને પીપળી અને બેલા ગામ વચ્ચે આવેલા શિવાય કોનામના બંધ પડેલા કારખાનાની અંદર જમીનમાં ખાડો કરીને તેમાં લાકડા અને ડીઝલ નાખીને સળગાવવામાં આવી હતી અને ત્યારબાદ તે ખાડો બૂરી દઈને તેના ઉપર પાકું ધાબું ભરી દેવામાં આવ્યું હતું જેથી પોલીસે જેસીબીની મદદથી સ્થળ ઉપર ખાડો ખોદીને તાજમમદભાઈની બોડીના અવશેષો કબજે કર્યા હતા અને ત્યાર બાદ મૃતક યુવાનના દીકરાની ફરિયાદ લઈને 7 શખ્સોની સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને તે પૈકીનાં 5 આરોપીઓને પકડીને રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે જો કે, બે આરોપી હજુ પકડવાના બાકી છે તેવામાં મિયાણા સમાજના પ્રમુખ અકબરભાઈ મોવરની આગેવાની હેઠળ મુસ્લિમ સમાજના લોકો મોરબી કલેકટર અને એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં આવેદનપત્ર આપીને હત્યાના આ ગુનામાં પકડાયેલા પાંચે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી માંગ કરી છે તેમજ મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં પકડાયેલા તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેના માટે કલેકટર અને એસપીને રજૂઆત કરવામાં આવી છે






Latest News