સારથી સેવા મોરબી અને રાજકોટ ટીમ દ્વારા મકરસંક્રાંતિએ ૧૫૦૦ પેકેટ લાડુંનું વિતરણ કરાયું
મોરબીમાં પતંગની દોરીથી 85 થી વધુ પક્ષી ઘાયલ: 10 જેટલા પક્ષીના મોત
SHARE
મોરબીમાં પતંગની દોરીથી 85 થી વધુ પક્ષી ઘાયલ: 10 જેટલા પક્ષીના મોત
ગઇકાલે મકરસંક્રાંતિના દિવસે લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા ત્યારે પતંગની દોરી વાગવાથી ઘણા પક્ષીઓ ઘાયલ થાય હતા જો વાત કરીએ મોરબીની તો કર્તવ્ય જીવદયા કેન્દ્ર અને સરકારના કરૂણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓની જુદીજુદી જગ્યાએ સારવાર કરવામાં આવી રહી હતી જેમાં કુલ મળીને 85 જેટલા પક્ષી ઘાયલ હોવાથી તેને સારવાર આપવામાં આવી હતી જોકે, 10 જેટલા પક્ષીઓને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને બચાવવા માટેના પ્રયાસો કરવા સી હતા તે પક્ષીઓના મોત નીપજ્યા હતા.
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર અને સરકારના કરૂણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને મોરબીમાં રવાપર રોડ ઉપર જુદીજુદી જગ્યાએ તેમજ મહારાણા પ્રતાપ સર્કલ પાસે અને અન્ય જગ્યાએ પક્ષીઓની સારવાર માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા કેમ્પ કરવામાં આવ્યા હતા અને મકરસંક્રાંતિના દિવસે લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા ત્યારે પતંગની દોરી વાગવાથી ઘણા પક્ષીઓ ઘાયલ થયા હતા અને અંદાજીત 85 થી વધુ ઘાયલ પક્ષીઓના કોલ આવ્યા હતા જેથી તાત્કાલિક બચાવ ટીમે ત્યાં પહોચીને પક્ષીને બચાવવા માટેની કામગીરી કરી હતી જો કે, 10 જેટલા નિર્દોષ પક્ષીઓને સારવાર મળે તે પહેલા જ તેને મોત નિપજ્યાં હતા અને મોરબીના જે લોકો દ્વારા પક્ષી બચાવો અભિયાનમાં જોડાઈને તાત્કાલિક ઘાયલ પક્ષીની જાણ કરવામાં આવી હતી તેમનો સંસ્થા અને સરકાર વતી જવાબદાર લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો.