માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં ઘરના ક્લેશના લીધે યુવાન ઘરેથી જતો રહ્યો હોવાનું ખૂલ્યું


SHARE

















મોરબીની સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા વિપ્ર પરિવારનો યુવાન દીકરો છેલ્લા નવેક દિવસથી પોતાના ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર બહાર જતો રહ્યો હતો અને તેનો ફોન બંધ આવતો હોવાથી યુવાન ગુમ થયો હોવા અંગેની હાલમાં તેના પિતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે નોધ કરીને યુવાનને શોધવા માટે તપાસ શરૂ કરેલ હતી અને યુવાન ઘરના કલેશના લીધે ઘરેથી જતો રહ્યો હોવાનું સામે આવ્યું છે

 મોરબીના સામાકાંઠા વિસ્તારની અંદર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને મૂળ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના સોલાજ ગામના રહેવાસી હિંમતલાલ અંબાલાલ શ્રીમાળી જાતે બ્રાહ્મણ (ઉંમર ૪૫) એ પોતાનો દીકરો ભાવદિકભાઈ હિંમતલાલ શ્રામાળી (૧૯) ગત તા.૧૮-૬ થી પોતાના ઘરે કોઇને કશું જ કહ્યા વગર જતો રહેલ છે અને તેને શોધવા છતાં પણ કોઈ જગ્યાએથી તેનો પત્તો લાગ્યો નથી જેથી કરીને તેના પિતા હિંમતભાઈએ પોતાનો દીકરો ભવદિ ગુમ થયા હોવા અંગેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી હતી જેના આધારે બી ડીવીજન પોલીસ મથકના ફિરોજભાઇ સુમરાએ યુવાનને શોધવા માટે તપાસ શરૂ કરી હતી અને હાલમાં તે હેમખેમ મળી આવ્યો છે જેની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એક જ ઘરમાં યુવાનના બહેન હિનાબેન, યાસોમતિબેન અને રાકેશભાઈ જુદા રહેતા હતા જે તેને ગમતું ન હતું જેથી કરીને તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો




Latest News