મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે કોલસા ભરેલ ટ્રેલર રીક્ષા ઉપર પલટી મારી ગયું, એકનું મોત, ચારને ઇજા


SHARE











મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે કોલસા ભરેલ ટ્રેલર રીક્ષા ઉપર પલટી મારી ગયું, એકનું મોત, ચારને ઇજા

મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે સર્વિસ રોડ પાસે ઉતારવાની જગ્યાએ અકસ્માત સર્જાયો છે જેમાં કોલસા ભરેલો ટ્રેલર જુદીજુદી બે રિક્ષા ઉપર પલટી મારી ગયું હતું જેથી કરીને રીક્ષા દબાઈ જતા તેમાં બેઠેલા એક રિક્ષા ચાલકનું સ્થળ ઉપર જ મોત નીપજયું છે જો કે, અન્ય રિક્ષા ચાલક સહિત ચારેક લોકોને ઇજા થતાં તેને સારવારમાં ખસેડાયેલ છે અને હજુ પણ ઇજાગ્રસ્તનો આંકડો વધે તેવી શક્યતા છે

મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે કોલસો ભરેલ ટ્રેલર પસાર થતું હતું ત્યારે ટે વાહન અચાનક જ પલટી મારી ગયું હતું ત્યારે બે ઓટો રીક્ષા ટ્રેલર ની છે દબાઈ ગઈ હતી જેથી કરીને મૂળ સુરેન્દ્રનગરના ખેરવા ગામના અને હાલમાં મોરબીના સામાકાંઠે આવેલ કાંતિનગરમાં રહેતા રીક્ષા ચાલક સુલતાનશાહ રમજુશા દીવાન (ઉ.૪૧) નામના યુવાનનું મોત નીપજયું છે અને અન્ય ચારેક લોકોને ઇજાઓ થયેલ છે જેમાં રીક્ષા ચાલક હિતેશ શાંતિલાલ રાવળદેવ (૩૦) રહે, વાંકાનેર , ચંદનસિંહ સુનારસિંગ (૨૦) અને નવીનસિંહ કરિયાસિંગ (૨૧) રહે, બંને ઓડિશા વાળાનો સમાવેશ થાય છે અને હજુ પણ ઇજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને ટ્રેલરમાથી ઢોળાયેલ કોલસા નીચે દટાયેલાં રિક્ષા હટાવવા માટે અને કોઈ દબાયું હોય તો તેને કાઢવા માટે જેસીબીની મદદ લેવાં આવી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News