મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીના પાણીને દરિયામાં જતાં રોકતા મીઠાના અગરના માટીના પાળાઓને તોડવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબીની મચ્છુ નદીના પાણીને દરિયામાં જતાં રોકતા મીઠાના અગરના માટીના પાળાઓને તોડવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી નજીકના મચ્છુ ડેમમાથી ભારે વરસાદ સમયે દરવાજા ખોલીને પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવે છે ત્યારે આ પાણી નદીમાથી દરિયામાં જતું હોય છે જો કે, દરિયામાં જતાં નદીના પાણીની આડે મીઠાના અગર વાળાઓ દ્વારા મોટા મોટા માટીના પાળાઓ કરવામાં આવેલ છે જેથી કરીને નદીના પાણી માળીયા તાલુકામાં દર વર્ષે હોનારત જેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે જેથી કરીને આ માટીના પાળાઓને દુર કરવામાં આવે તેવી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસો.ના જનરલ સેક્રેટરીએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે
 
હાલમાં મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કેમોરબી જીલ્લામાં આવેલ મચ્છુ નદી મોરબી થઇને માળિયા(મી.) અને ત્યાંથી હળકીયા ક્રિકમાં દરિયામાં ભળી જાય છે  આ હળકીયા ક્રિકમાં મચ્છુ નદી દરિયામાં ભળે છે ત્યાં ઘણા બધા ફાટાઓ ઉપર મીઠાના અગર વાળાઓ દ્વારા મોટા મોટા માટીના પાળાઓ બનાવીને નદીના પાણીના નિકાલને બંધ કરવામાં આવેલ છે. જેના કારણે ચોમાસામાં લગભગ દર વર્ષે ભારે વરસાદ થતા માળિયા (મી.)માં પુર આવેલ છે. અને  જાન માલ ની નુક્શાની થાય છે. આ વર્ષે હજુ એવો ભારે વરસાદ  થયેલ નથી. પરંતુ જયારે થશે ત્યારે પુરની પરિસ્થિતિ ઉદભવશે. તો અગમચેતી રૂપે આ ગેરકાયદે બની ગયેલા પાળાઓ દુર કરવા માટે તાત્કાલિક કાર્યવાહી  કરવામાં આવે તેવી માગણી કરેલ છે. જો આ પાળાઓ દુર કરવામાં નહી આવે તો ભારે વરસાદ  આવતા માળિયા (મી.) માં પુરતી પરિસ્થિતિ ઉભી પાસે અને જાનમાલની નુકશાની પણ થશે તો આ બાબતે આવી નુકશાની થાય તે પહેલા અગમચેતી રૂપે આ પાળાઓ દુર કરવા માટે મુખ્યમંત્રી દ્વારા યોગ્ય આદેશ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે 






Latest News