મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થાય તો લાખો શ્રમિકોની રોજગારી સામે પ્રશ્નાર્થ, ઉદ્યોગકારોએ ઉધારમાં આપેલા માલના કરોડો રૂપિયા ફસાઈ તેવા સંકેત મોરબીના લાલપર ગામ પાસે યુવાન અને મકનસર ગામે યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક જુદાજુદા બે કારખાનામાં કોઈ કારણોસર વૃદ્ધ અને યુવાનનું મોત માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે જી.કે.હોટલના ગ્રાઉન્ડમાં હોળીની રાતે નાળિયેરની રમત રમતા યુવાન સહિતનાઓને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો નોંધાયો માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની બિલિયા પ્રા.શાળામાં દાતાઓ દ્વારા સાત એલ.સી.ડી. અર્પણ


SHARE













મોરબીની બિલિયા પ્રા.શાળામાં દાતાઓ દ્વારા સાત એલ.સી.ડી. અર્પણ

એક સમય હતો કે લોકો માત્ર મંદિરોમાં જ દાન ભેટ આપતા હતા જો કે, હવે લોકોની માન્યતા બદલાઈ છે, લોકો શાળાને વિદ્યા મંદિર માનવા લાગ્યા છે ત્યારે મોરબીની બિલિયા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે, દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા ગમત સાથે જ્ઞાન મેળવી શકે એ માટે ફાઈન સ્ક્રીન આર્ટ, રેવબેન મગનભાઈ પેથાપરા હસ્તે કાંતિભાઈ મગનભાઈ પેથાપરા સરપંચ, ગોવિંદભાઇ મગનભાઈ સાંણદિયા, વાસુદેવભાઈ ભગવાનજીભાઈ ગામી, ચતુરભાઈ હરજીભાઈ કાવર સ્વ.નિકુંજભાઈની પુણ્યતિથિ નિમિત્તે હસ્તે રમેશભાઈ રાધવજી ભાઈ સાંણદિયા,રોહિતભાઈ નરભેરામભાઈ કાવર વગેરેએ  અંદાજીત એક લાખની કિંમતના સાત એલ.સી.ડી. શાળાના દરેક ધોરણના વર્ગમાં શિક્ષકવાઈઝ અર્પણ કરેલ છે આથી સમગ્ર શાળા પરિવાર દ્વારા તમામ દાતાઓને સન્માન પત્રો અર્પણ કરી સન્માનિત કરાયા હતા. ગામમાં કોરોના કાળ દરમ્યાન જેમને દિવસ રાત જોયા વગર દર્દીઓની સેવા સુસુશ્રા કરી હતી એવા  કરશનભાઇ સાંણદિયા, કાંતાબેન પેથાપરા આંગણવાડી વર્કર,ગૌવરીબેન ધરમશીભાઇ મીનાબેન જગોદરા પેટા આરોગ્ય કેન્દ્ર બિલિયા, દિવ્યેશભાઈ સોઢીયા પી.એચ.સી.બિલિયા દક્ષાબેન રામાભાઈ કેનવા ડો.હિરેનભાઈ વાંસદડીયા મેડિકલ ઓફિસર વગેરે કોરોના વોરિયર્સનું સનમાંન તેમજ તમામ શિક્ષકોનું સન્માન સરપંચ તેમજ ગામના આગેવાનો દ્વારા કર્યું હતું અને તમામ દાતાઓનું સન્માન શાળાના શિક્ષકો દ્વારા કર્યું હતું આ પ્રસંગે સમગ્ર શાળા પરિવાર સહિત કિરણભાઈ વી.કાચરોલા આચાર્ય અને મંત્રી શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ દાતાઓનો આભાર પ્રકટ કર્યો હતો.






Latest News