મોરબીમાં મોબાઇલમાં વધુ પડતી વાત કરવાની ના પાડતા સગીરા દવા પી ગઇ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખાડે !: મોરબીમાં પતિ-પુત્રની હાજરીમાં ધમકી આપીને મહિલા સાથે દુષ્કર્મ, 5 સામે ફરિયાદ મોરબીમાં સગીર દીકરીની છેડતી કરનારા શખ્સને સમજાવવા ગયેલ માતા સાથે ઝઘડો કરીને આપી ધમકી માળીયા (મીં)ના કાજરડા ગામ જવાના રસ્તા ઉપરથી દેશી બંદુક સાથે એક શખ્સ પકડાયો મોરબીના બાયપાસ રોડે થારના ચાલકે અલ્ટોને મારી ટક્કર: ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં મોરબીમાંથી દારૂની 8 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ: અંજીયાસર ગામેથી 400 લિટર આથો ઝડપાયો હળવદના ચરાડવા પાસેનો બનાવ: અકસ્માતમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ જતી કાર ડમ્પરમાં ઘુસી જતા 7 પૈકીનાં 5 લોકોના મોત: બે સારવારમાં મોરબી જીલ્લામાં રામપર વીડી, બાબા સાહેબ આંબેડકર સ્કૂલ અને નેક્સિયન સિરામીકમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો
Breaking news
Morbi Today

“અકાળે પાંગરેલા પ્રેમનો કરૂણ અંજામ” : વાંકાનેર તાલુકામાં પ્રેમી પંખિડાએ ઝેરી દવા પીધી, પરિણીતાનું મોત


SHARE











“અકાળે પાંગરેલા પ્રેમનો કરૂણ અંજામ” : વાંકાનેર તાલુકામાં પ્રેમી પંખિડાએ ઝેરી દવા પીધી, પરિણીતાનું મોત

વાંકાનેર તાલુકાના જાલીડા ગામના સીમ વિસ્તારની અંદર પરિણીત મહિલા અને અપરિણીત યુવાને સજોડે ઝેરી દવા પીધી હતી દરમિયાન મહિલાનું મોત નિપજયું છે અને યુવાન સારવાર હેઠળ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે અને હાલમાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ જાલીડા ગામના સીમ વિસ્તારની અંદર પરિણીત મહિલા અને અપરણિત યુવાને ઝેરી દવા પી લીધી હોવા અંગેની ૧૦૮ની ટીમને જાણ કરી હતી જેથી કરીને એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારે ત્યાં મહિલા અને યુવાને ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના કાનપુર ગામના રહેવાથી ભાવુબેન રાકેશભાઈ કોળી (ઉંમર ૨૭)ને તે જ ગામમાં રહેતા મહેશ હીરાભાઈ કોળી સાથે પ્રેમસબંધ હતો જેથી કરીને તે બન્નેએ એક સાથે જાલીડા ગામની સીમમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને ભાવુબેનનું મૃત્યુ નિપજયું છે જેનો લગ્નગાળો આઠ વરસનો છે અને તેને સંતાનમાં ત્રણ બાળકો હોવાનું હાલમાં આ બનાવની તપાસ કરતા ધર્મેન્દ્રસિંહ જાડેજા પાસેથી જાણવા મળે છે અને મહેશ હીરાભાઈ કોળી અપરણિત છે જે યુવાન હાલમાં સારવાર હેઠળ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News