મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે
Breaking news
Morbi Today

મોરબીવાસીઑ તંત્રની બેદરકારીના લીધે રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહીત પ્રાથમિક સુવિધાથી વંચિત !


SHARE













મોરબીવાસીઑ તંત્રની બેદરકારીના લીધે રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહીત પ્રાથમિક સુવિધાથી વંચિત !

મોરબીના સામાકાંઠે વોર્ડ નં-૪ તથા બૌધ્ધનગર સોસાયટી તરફ નજરબાગ રેલ્વે સ્ટેશનથી જવાનો રસ્તો લગભગ પુરા ચોમાસાથી ખરાબ છે જેથી કરીને લોકો તકલીફ ભોગવી રહ્યા છે. ત્યારે વોર્ડ નં -૪ ના ગાંધી સૌસાયટી તથા બૌધ્ધનગર સોસાયટીના વિસ્તારના લોકો રસ્તામાં ભરાઈ રહેલ પાણીથી સ્કુલે જવા માટે બાળકો ચાલી પણ શક્તા નથી અને મહિલાઓ કે પુરુષો પણ આ રસ્તા ઉપરથી ચાલી ન શકે તેવી કફોડી હાલતમાં છે

આ મુદે તંત્ર વાહકો તેમજ કાઉન્સીલર તથા ભડિયાદના સરપંચને ફોન કરીને રજૂઆત કરવામાં આવી છે તો પણ માત્ર મીઠા જવાબ સિવાય અને કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી જેથી લોકો હેરાન થાય છે ત્યારે બસપાના જિલ્લાના પ્રમુખ અશ્વિનભાઈ ટૂંડિયાની આગેવાનીમાં કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને ગાંધી સોસાયટી વોર્ડ નં.૪ ના રોડ જે નગરપાલીકા દ્વારા આરસીસી રોડ પાસ થઈ ગયેલ છે અને તેનું ખાત મુહર્ત પણ થઈ ગયેલ છે પણ સાત મહિના થઈ ગયા છે તો પણ તંત્ર દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું નથી જેથી લોકો ચોમાસામાં હેરાન થઈ રહયા છે ત્યારે તાત્કાલીકના ધોરણે રસ્તામાં થઈ ગયેલ મોટા ગાબડાનું પુરાણ કરવામાં આવે અને વહેલી તકે જો આ રોડનું કામ નહી કરવામાં આવે તો કલેક્ટર કચેરીએ ગાંધી સોસાયટી તથા બૌધ્ધનગરના તમામ રહિશો ઉપવાસ આંદોલન કરશે તેવી ચિમકી બસપાના આગેવાન અશ્વિનભાઈ ટુંડીયા સહિના લોકોએ ઉચ્ચારી છે






Latest News