મોરબીના લાલપર-ઘૂટું પાસેથી ત્રણ બાઈકની ચોરી: બે શખ્સોની ધરપકડ, એકની શોધખોળ
કોલસાની કટોકટી: મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર ઘેરાયા સંકટના વાદળો, કોલસો ન મળતા કારખાના ચાલુ રાખવા મુશ્કેલ
SHARE
કોલસાની કટોકટી: મોરબીના પેપર મિલ ઉદ્યોગને ટનના ૧૨૦૦૦ આપવા છતાં નથી મળતો કોલસો !, કારખાના ચાલુ રાખવા મુશ્કેલ
સમગ્ર દેશમાં આજની તારીખે કોલસાની કટોકટીના લીધે ઘણા ઉદ્યોગની મુશ્કેલી વધી છે ત્યારે મોરબીમાં આવેલ પેપર મિલોને પણ ચલાવવો ઉદ્યોગકારો માટે મુશ્કેલ બની ગઈ છે કેમ કે, આજની તારીખે મોરબીના ઉદ્યોગકારો કોલસાના ચાર ગણા કરતાં વધુ ભાવે કોલેસોની ખરીદી માટે આપે છે તો પણ તેઓને કોલસો જરૂરિયાત મુજબ મળી રહ્યો નથી અને જો આવી જ પરિસ્થિતી રહી તો હજારો લોકોને રોજગારી આપતા આ પેપર મિલ ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વાગી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
છેલ્લા ઘણા મહિનાઓથી પેપર મિલોમાં આવતા રો-મટિરિયલ્સના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મોરબીના પેપર મિલ માલિકોની મુશ્કેલી વધી ગયેલ છે અને હાલમાં પેપર મિલમાં ઈંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવતો કોલસો મળી રહ્યો નથી અને ચાર ગણા વધુ ભાવ આપવા છતાં પણ આજની તારીખે કોલસો મળતો નથી જેથી કરીને પેપર મિલ ચલાવતા ઉદ્યોગકારો હેરાન થઈ ગયા છે ત્યારે મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ વિપુલભાઈ કોટડીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, સરકારમાથી જે કવોટા મોરબીના પેપર મિલના માલિકોને આપવામાં આવેલ છે તે મ્જુબ કોલસાનો જથ્થો ફાળવવામાં આવતો નથી અને દરેક કારખાનેદારને તેના કવોટાની સામે માત્ર ૨૦ ટકા જેટલો જ જથ્થો આપવામાં આવે છે જેથી કરીને પેપર મિલ માલિકોને ઊંચા ભાવે કોલસો લેવો પડે છે અને ઊંચા ભાવ આપવા છતાં પણ કોલસો મળતો ન હોવાથી કારખાના ના છૂટકે બંધ કરવાં પડે તેમ છે

મોરબી પેપર મિલ એસો.ના ઉપપ્રમુખ વિશાલભાઈ પટેલે જણાવ્યુ હતું કે, આજની તારીખે મોરબી આસપાસમાં કુલ મળીને ૫૦ જેટલી પેપર મિલો આવેલી છે જેમાં દૈનિક ૮૦૦૦ ટન પેપરનું ઉત્પાદન કરવામાં આવે છે અને અહીથી ચાઈના સહિત વિદેશમાં અને દેશના જુદાજુદા રાજ્યોમાં તૈયાર પેપર મોકલાવવામાં આવે છે જો કે, છેલ્લા મહિનાઓથી શિપિંગ લાઇનના ભાડામાં વધારો થયો હોવાથી ઉદ્યોગકારો મુશ્કેલીમાં હતો તેવામાં હવે કોલસનું સંકટ આવી પડ્યું છે અને સરકારી કવોટામાં ટનના ૨૭૦૦ ના ભાવે જે કોલસો આપવામાં આવે છે તે હાલમાં મળી રહ્યો નથી અને ઇંડોનેશિયાનો કોલસો ટનના ૧૨૦૦૦ રૂપિયાના ભાવે પણ મળતો નથી આવી પરિસ્થિતિમાં કારખાના ચલાવવા કેવી રીતે તે પ્રશ્ન ઊભો થયો છે ત્યારે જો આ પેપર મિલ બંધ થશે તો હજારો લોકોની રોજગારીનો પ્રશ્ન ઊભો થાય તેમ છે સાથોસાથ પેપરની તંગી ઊભી થશે અને જો પેપર મિલો બંધ થશે તો પેકેજિંગ ઉધ્યોગને ટકાવી રાખવો મુશ્કેલ બની જશે તેવું કહીએ તો અતિશોયક્તિ નથી.

જયારે સેક્રેટરી ભાવિકભાઈ ભટ્ટ અને ખજાનચી બળદેવભાઈ નાયકપરા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, કોરોના પછી માંડમાંડ મોરબીના પેપર મિલ ઉદ્યોગની ગાડી પાટે ચડી રહી હતી તેવામાં વેસ્ટ પેપરના ભાવમાં વધારો, કન્ટેનરના ભાડામાં વધારો તે સહિતની મુશ્કેલીમાથી ઉદ્યોગ બહાર આવેલ નથી ત્યાં હવે કોલસાની રામાયણ શરૂ થયેલ છે અને પેપર મિલોમાં જો સમયસર અને વ્યાજબી ભાવેથી કોલસો નહિ મળે તો આગામી દિવસોમાં મોરબી પંથકમાં આવેલ પેપર મિલોને બંધ કરવાની ફરજ પડશે માટે વહેલમાં વહેલી તકે કોલસાનો પ્રશ્ન ઉકેલવામાં આવે અને સરકારી કવોટા મુજબ કોલસો આપવામાં આવે તે જરૂરી નહીં અનિવાર્ય છે