મોરબીમાં ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરા આપીને ઉત્તરાયણની ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ ટંકારાના વાઘગઢ ગામે શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ-જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો પચ્ચીસમો વાર્ષિક સમારોહ સંપન્ન મોરબી: રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં સીરામીક સેમિનારમાં ૧૪૬૦ કરોડના એમઓયુ સંપન્ન મોરબીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યાલય ખાતે સ્વાવલંબન આયામ અંતર્ગત બહેનોને પ્રમાણપત્ર અર્પણ વાંકાનેરના દેરાળા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો મોરબીમાં લાયન્સ કલબ સીટી દ્વારા ઉકાળાનું વિતરણ વાંકાનેર નજીક સિરામિક કારખાનાની મશીનરીમાં તોડફોડ કરવાના ગુનામાં પૂર્વ કોન્ટ્રાકટર સહિત 10 આરોપીઓની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સોરઠ કડવા પાટીદાર પરિવારનું પ્રથમ સ્નેહમીલન યોજાશે


SHARE













મોરબીમાં સોરઠ કડવા પાટીદાર પરિવારનું પ્રથમ સ્નેહમીલન યોજાશે

મોરબીમાં સોરઠ બાજુથી ઘણા લોકો ધંધા રોજગાર માટે આવેલ છે અને અહીય જ સ્થાયી થયેલ છે ત્યારે સોરઠ કડવા પાટીદાર પરિવાર દ્વારા આગામી તા ૧૯ ને રવિવારના રોજ ટંકારા તાલુકાનાં લજાઈ ગામ નજીક હાઇવે રોડ ઉપર આવેલ માનવ મંદિર ખાતે પ્રથમ સ્નેહ મીલનનું આયોજન કરવામાં આવ્યું છે

સોરઠ કડવા પાટીદાર પરિવાર દ્વારા આયોજીય આ કાર્યક્રમમાં સાંજે ૪ વાગ્યે પરિવારનું આગમન, સાંજે ૫ વાગ્યે દિપ પ્રાગટ્ય, સાંજે ૫:૩૦ થી ૬:૦૦ વાગ્યા સુધી પ્રારણાત્મક સંવાદ, ત્યાર બાદ સન્માન સમારોહ અને બાદમાં મહિલાઓ માટે રાસ ગરબાનું આયોજન કર્યું છે સાથોસાથ ભોજન સમારંભ પણ શરૂ કરવામાં આવશે અને અંતમાં ૯:૩૦ વાગ્યે સ્નેહ સાથે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે સરદાર પટેલ કન્યા કેળવણી મંડળ તથા ઉમિયા સંસ્કારધામ મોરબી તરફથી પ્રમુખ બેચર ભાઇ હોથી તેમજ ત્રાંબકભાઈ પટેલ, એ.કે. પટેલ, ઉમિયા સમાધાન પંચ તથા મેરેજ બ્યુરો મોરબી તરફથી પ્રમુખ લીંબાભાઇ મસોત, ડો. જી.પી. ભાલોડિયા, સમૂહલગ્ન સમિતિ મોરબી જિલ્લા તરફથી પ્રમુખ મનુભાઈ કૈલા, કડવા પાટીદાર સમાજ તથા સમૂહ લગ્ન સમિતિ ટંકારા પ્રમુખ પંચાંણભાઈ પટેલ, ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ મોરબી તરફથી સંયોજક ભાણજીભાઈ આદ્રોજા, પટેલ વિદ્યાર્થી ભુવન (જોધપર) મોરબી તરફથી પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ સહિતના હાજર રહેશે






Latest News