મોરબી મહાસંઘ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી કરતાં શિક્ષકોને ઓન ડ્યુટી આપવા વિવિધ કક્ષાએ રજુઆત મોરબી મહાપાલિકા ખાતે યોજાયેલ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ-વહીવટી પારદર્શિતા ઉપર મેયરે ભાર મૂક્યો મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૯ જૂને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના: મોરબી જીલ્લામાં ત્રણ મહિનામાં ૬.૫ કરોડની સહાય મંજૂર મોરબીના યુવાને ૨૬ મી વખત રક્તદાન કરીને માનવતા મહેકાવી ટંકારાના વિરપર ગામના સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયાની માસિક પુણ્યતિથિ સેવાકાર્યની સરવાણી મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ યોજાયો મોરબી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ કોઠીયાની વરણી
Breaking news
Morbi Today

મોરબીમાં સોરઠ કડવા પાટીદાર પરિવારનું પ્રથમ સ્નેહમીલન યોજાશે


SHARE











મોરબીમાં સોરઠ કડવા પાટીદાર પરિવારનું પ્રથમ સ્નેહમીલન યોજાશે

મોરબીમાં સોરઠ બાજુથી ઘણા લોકો ધંધા રોજગાર માટે આવેલ છે અને અહીય જ સ્થાયી થયેલ છે ત્યારે સોરઠ કડવા પાટીદાર પરિવાર દ્વારા આગામી તા ૧૯ ને રવિવારના રોજ ટંકારા તાલુકાનાં લજાઈ ગામ નજીક હાઇવે રોડ ઉપર આવેલ માનવ મંદિર ખાતે પ્રથમ સ્નેહ મીલનનું આયોજન કરવામાં આવ્યું છે

સોરઠ કડવા પાટીદાર પરિવાર દ્વારા આયોજીય આ કાર્યક્રમમાં સાંજે ૪ વાગ્યે પરિવારનું આગમન, સાંજે ૫ વાગ્યે દિપ પ્રાગટ્ય, સાંજે ૫:૩૦ થી ૬:૦૦ વાગ્યા સુધી પ્રારણાત્મક સંવાદ, ત્યાર બાદ સન્માન સમારોહ અને બાદમાં મહિલાઓ માટે રાસ ગરબાનું આયોજન કર્યું છે સાથોસાથ ભોજન સમારંભ પણ શરૂ કરવામાં આવશે અને અંતમાં ૯:૩૦ વાગ્યે સ્નેહ સાથે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે સરદાર પટેલ કન્યા કેળવણી મંડળ તથા ઉમિયા સંસ્કારધામ મોરબી તરફથી પ્રમુખ બેચર ભાઇ હોથી તેમજ ત્રાંબકભાઈ પટેલ, એ.કે. પટેલ, ઉમિયા સમાધાન પંચ તથા મેરેજ બ્યુરો મોરબી તરફથી પ્રમુખ લીંબાભાઇ મસોત, ડો. જી.પી. ભાલોડિયા, સમૂહલગ્ન સમિતિ મોરબી જિલ્લા તરફથી પ્રમુખ મનુભાઈ કૈલા, કડવા પાટીદાર સમાજ તથા સમૂહ લગ્ન સમિતિ ટંકારા પ્રમુખ પંચાંણભાઈ પટેલ, ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ મોરબી તરફથી સંયોજક ભાણજીભાઈ આદ્રોજા, પટેલ વિદ્યાર્થી ભુવન (જોધપર) મોરબી તરફથી પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ સહિતના હાજર રહેશે






Latest News