હળવદ-ધાંગધ્રા રૂટની એસટી બસ ગુરુવારે બપોરે શહેરમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એસટી બસના ચાલકે આધેડના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં હળવદથી ઘરે જતાં અજીતગઢ ગામના વૃધ્ધનું મોત નિપજ્યું હતું. જે બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી ગયેલ હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને પોલીસે ભોગ બનેલા આધેડના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં હીરાવાડી પાસેથી ગુરુવારે બપોરે હળવદ-ધાંગધ્રા રૂટની એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે વિનોબા ગ્રાઉન્ડ પાસેથી અજીતગઢ ગામના મનુભાઈ ગોકળભાઈ લોરીયા (55) પોતાનું બાઈક લઈને હળવદથી ઘરે જઇ રહ્યા હતા ત્યારે એસટી બસના પાછળના જોટામાં આધેડ આવી ગયા હતા જેથી કરીને એસટી બાસનું ટાયર ફરી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ હળવદ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી ગયેલ હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી હતી.