મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે ખેડૂતો લડી લેવા મક્કમ: મોરબીના જેતપર ઉપવાસી છાવણીને વરસાદની આગાહીને રાખીને વોટરપ્રૂફ બનાવવાનું શરૂ હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં વાંકાનેરના રંગપર પાસે સામેથી આવેલ ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પાંસળીમાં ગંભરી ઇજા
Breaking news
Morbi Today

હળવદમાં એસટી બસનું ટાયર ફરી જતાં આધેડનું ઘટના સ્થળે મોત


SHARE









હળવદ-ધાંગધ્રા રૂટની એસટી બસ ગુરુવારે બપોરે શહેરમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એસટી બસના ચાલકે આધેડના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં હળવદથી ઘરે જતાં અજીતગઢ ગામના વૃધ્ધનું મોત નિપજ્યું હતું. જે બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી ગયેલ હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને પોલીસે ભોગ બનેલા આધેડના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે.


જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં હીરાવાડી પાસેથી ગુરુવારે બપોરે હળવદ-ધાંગધ્રા રૂટની એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે વિનોબા ગ્રાઉન્ડ પાસેથી અજીતગઢ ગામના મનુભાઈ ગોકળભાઈ લોરીયા (55) પોતાનું બાઈક લઈને હળવદથી ઘરે જઇ રહ્યા હતા ત્યારે એસટી બસના પાછળના જોટામાં આધેડ આવી ગયા હતા જેથી કરીને એસટી બાસનું ટાયર ફરી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ હળવદ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી ગયેલ હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી હતી.






Latest News