ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

હળવદમાં એસટી બસનું ટાયર ફરી જતાં આધેડનું ઘટના સ્થળે મોત


SHARE

















હળવદ-ધાંગધ્રા રૂટની એસટી બસ ગુરુવારે બપોરે શહેરમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એસટી બસના ચાલકે આધેડના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં હળવદથી ઘરે જતાં અજીતગઢ ગામના વૃધ્ધનું મોત નિપજ્યું હતું. જે બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી ગયેલ હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને પોલીસે ભોગ બનેલા આધેડના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે.


જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં હીરાવાડી પાસેથી ગુરુવારે બપોરે હળવદ-ધાંગધ્રા રૂટની એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે વિનોબા ગ્રાઉન્ડ પાસેથી અજીતગઢ ગામના મનુભાઈ ગોકળભાઈ લોરીયા (55) પોતાનું બાઈક લઈને હળવદથી ઘરે જઇ રહ્યા હતા ત્યારે એસટી બસના પાછળના જોટામાં આધેડ આવી ગયા હતા જેથી કરીને એસટી બાસનું ટાયર ફરી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ હળવદ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી ગયેલ હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી હતી.




Latest News