મોરબીનું ધરમપુર ગામ નશાની હાલતમાં માથે લેનારની હત્યાના ગુનામાં પોલીસે આઠ આરોપીની કરી ધરપકડ
મોરબીના નવાગામમાં સાળા સાથે જમીનની માથાકૂટ હોય બનેવીને માર મરનારા પાંચ પૈકીનાં ત્રણ આરોપીની ધરપકડ
SHARE









મોરબીના નવાગામમાં સાળા સાથે જમીનની માથાકૂટ હોય બનેવીને માર મરનારા પાંચ પૈકીનાં ત્રણ આરોપીની ધરપકડ
મોરબી તાલુકાના નવાગામ (લખધીરનગર)માં રહેતા યુવાનના સાળા સાથે જમીન બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખીને પાંચ શખ્સો દ્વારા કુહાડી અને લાકડી વડે યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાનને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મારામારી અને રાયોટીંગ સહિતની કલમો હેઠળ નોંધાયેલ ગુનામાં હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના નવાગામ (લખધીરનગર)માં રહેતા અને મજૂરી કામ કરતા મુકેશભાઈ પરસોતમભાઈ કોળી (ઉંમર ૩૭) ઉપર તે જ ગામની અંદર રહેતા સંજયભાઈ ગગજીભાઈ, ભુપતભાઈ લાભુભાઈ, કરણભાઈ ભુપતભાઈ, કિશનભાઇ ભુપતભાઈ અને અશોકભાઈ નાથાભાઈએ તા ૧૫/૬ ના રોજ હુમલો કર્યો હતો અને તેને કુહાડી તેમજ લાકડી વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા મુકેશભાઈ પરસોત્તમભાઈએ સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી માટે પોલીસે રાયોટિંગ તથા મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે સંજયભાઈ ગગજીભાઈ ઝીઝવાડિયા (૨૫), ભુપતભાઈ લાભુભાઈ ઝીઝવાડિયા (૩૬), અને અશોકભાઈ નાથાભાઈ ઝીઝવાડિયા (૩૧) રહે બધા જ નવાગામ (લખધીરનગર) વાળાની ધરપકડ કરેલ છે અને હજુ આ ગુનામાં બે આરોપી પકડવાના બાકી છે

