મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 24 હોટલ, રેસ્ટોરન્ટ, બેકરીમાં કર્યુ ચોકિંગ: અખાદ્ય કલર-વાસી ખોરાકનો કર્યો નાશ, 16 વેપારીઓને નોટીસ મોરબી નજીકના વીરપર પાસે આવેલ નવયુગ સંકુલમાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી કચ્છના સરહદીય વિસ્તાર કુરન મધ્યે સાંસદ દ્વારા રંગોત્સવની ઉજવણી કરાઇ મોરબીમાં મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીઓનું સરઘસ કાઢીને આકરી સજાની સમાજની માંગ ભુજ એરપોર્ટ ખાતે સંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર: મોરબીથી બિઝનેસ કે ફરવા માટે ગયેલા 43 જેટલા લોકો હાલમાં દુબઈમાં ફસાયા મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપતો વિશાલ સેજપાલ પત્રકાર નથી: ભોગ બનેલ લોકોને પોલીસનો સંપર્ક કરવા ડીવાયએસપીની અપીલ મોરબીના લાલપર અને ગુંગણ ગામેથી સગીરાઓના અપહરણ કરનાર ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી: વરડુસર ગામની પ્રાથમિક શાળાની દીવાલો ઉપર  ‘બાલા પ્રોજેક્ટ’ અંતર્ગત ભારતના સ્મારકો, સ્ટેચ્યુ ઑફ યુનિટી, પ્રાણીઓ, ઘડિયા, વાર્તાના ભીંત ચિત્રો કરાયા


SHARE













મોરબી: વરડુસર ગામની પ્રાથમિક શાળાની દીવાલો ઉપર  ‘બાલા પ્રોજેક્ટ’ અંતર્ગત ભારતના સ્મારકો, સ્ટેચ્યુ ઑફ યુનિટી, પ્રાણીઓ, ઘડિયા, વાર્તાના ભીંત ચિત્રો કરાયા

મોરબીના જામસર સેન્ટર અંતર્ગત સમાવિષ્ટ શ્રી વરડુસર પ્રાથમિક શાળામાં વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આજકાલના આધુનિક સમયને ધ્યાનમાં રાખતા બાળકો વાંચેલું ભૂલી જાય અને બોલેલું યાદ ના રહે તેવું બને છે. સચિત્ર જોયેલું લાંબા સમય સુધી એમના માનસપટલ પર યાદ રહે છે, તેની સારી અસર પડે છે. જેના થકી બાળકો અનુભવજન્ય શિક્ષણ મેળવશે અને બાળકોની યાદશક્તિમાં વધારો પણ કરી શકાય છે. એવા ઉમદા આશયથી સારી ટેવો, ભારતના સ્મારકો, સ્ટેચ્યુ ઑફ યુનિટી, પ્રાણીઓ, ઘડિયા, વાર્તા સ્વરૂપે દીવાલોમાં જીવંત કરવામાં બનાવવામાં આવેલી છે. બાલા પ્રોજેક્ટનું વાંકાનેરના બી.આર.સી. કો- ઓર્ડીનેટર મયૂરરાજસિંહ પરમાર દ્વારા ઉદ્ઘાટન કરીને તેને બાળકો માટે ખુલ્લો મુકી એક ઉમદા કાર્ય કરાયુ છે.આ પ્રવૃત્તિને સમગ્ર ગ્રામજનોએ અને વાલીશ્રીએ વખાણેલી છે અને આ સચિત્ર દીવાલોથી શાળાનું વાતાવરણ
મોહક બન્યું છે. બાલા પ્રોજેક્ટને સફળ બનાવવા માટે અને જીવંત બનાવવા માટે શ્રી વરડુસર પ્રાથમિક શાળાના આચાર્ય પંકજભાઈ ધામેચા, એસ.એમ.સી.ના અધ્યક્ષ અશોકભાઈ પંચાસરા, સમગ્ર શાળા પરિવાર, વાંકાનેર તાલુકાના બી.આર.સી. કો- ઓર્ડીનેટર મયૂરરાજસિંહ પરમાર, જામસર સી.આર.સી. કો- ઓર્ડીનેટર નરેન્દ્રસિંહ ચૌહાણનો ખૂબ જ સહકાર મળ્યો છે. મોરબી જિલ્લામાં બાળકોના શિક્ષણ સ્તરને સુધારવા માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે






Latest News