વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી: વરડુસર ગામની પ્રાથમિક શાળાની દીવાલો ઉપર  ‘બાલા પ્રોજેક્ટ’ અંતર્ગત ભારતના સ્મારકો, સ્ટેચ્યુ ઑફ યુનિટી, પ્રાણીઓ, ઘડિયા, વાર્તાના ભીંત ચિત્રો કરાયા


SHARE

















મોરબી: વરડુસર ગામની પ્રાથમિક શાળાની દીવાલો ઉપર  ‘બાલા પ્રોજેક્ટ’ અંતર્ગત ભારતના સ્મારકો, સ્ટેચ્યુ ઑફ યુનિટી, પ્રાણીઓ, ઘડિયા, વાર્તાના ભીંત ચિત્રો કરાયા

મોરબીના જામસર સેન્ટર અંતર્ગત સમાવિષ્ટ શ્રી વરડુસર પ્રાથમિક શાળામાં વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આજકાલના આધુનિક સમયને ધ્યાનમાં રાખતા બાળકો વાંચેલું ભૂલી જાય અને બોલેલું યાદ ના રહે તેવું બને છે. સચિત્ર જોયેલું લાંબા સમય સુધી એમના માનસપટલ પર યાદ રહે છે, તેની સારી અસર પડે છે. જેના થકી બાળકો અનુભવજન્ય શિક્ષણ મેળવશે અને બાળકોની યાદશક્તિમાં વધારો પણ કરી શકાય છે. એવા ઉમદા આશયથી સારી ટેવો, ભારતના સ્મારકો, સ્ટેચ્યુ ઑફ યુનિટી, પ્રાણીઓ, ઘડિયા, વાર્તા સ્વરૂપે દીવાલોમાં જીવંત કરવામાં બનાવવામાં આવેલી છે. બાલા પ્રોજેક્ટનું વાંકાનેરના બી.આર.સી. કો- ઓર્ડીનેટર મયૂરરાજસિંહ પરમાર દ્વારા ઉદ્ઘાટન કરીને તેને બાળકો માટે ખુલ્લો મુકી એક ઉમદા કાર્ય કરાયુ છે.આ પ્રવૃત્તિને સમગ્ર ગ્રામજનોએ અને વાલીશ્રીએ વખાણેલી છે અને આ સચિત્ર દીવાલોથી શાળાનું વાતાવરણ
મોહક બન્યું છે. બાલા પ્રોજેક્ટને સફળ બનાવવા માટે અને જીવંત બનાવવા માટે શ્રી વરડુસર પ્રાથમિક શાળાના આચાર્ય પંકજભાઈ ધામેચા, એસ.એમ.સી.ના અધ્યક્ષ અશોકભાઈ પંચાસરા, સમગ્ર શાળા પરિવાર, વાંકાનેર તાલુકાના બી.આર.સી. કો- ઓર્ડીનેટર મયૂરરાજસિંહ પરમાર, જામસર સી.આર.સી. કો- ઓર્ડીનેટર નરેન્દ્રસિંહ ચૌહાણનો ખૂબ જ સહકાર મળ્યો છે. મોરબી જિલ્લામાં બાળકોના શિક્ષણ સ્તરને સુધારવા માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે




Latest News