હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા નજીક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં એક યુવાનનું મોત: ત્રણને ઇજા


SHARE











મોરબીના આંદરણા નજીક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં એક યુવાનનું મોત: ત્રણને ઇજા

મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમાંથી ચાર સવારી મોટરસાયકલ પસાર થઈ રહ્યું હતું ત્યારે સીએનજી રીક્ષા તેની સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં એક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને અન્ય ત્રણ યુવાનોને ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવમાં ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે સીએનજી રીક્ષાના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા ભરતભાઈ કેશુભાઈ ડઢૈયા (30) નામના યુવાને હાલમાં સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 3661 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદી તથા તેના ભાઈ સાગરભાઇ તેમજ પ્રવીણભાઈ અને અનિલભાઈ ચારેય વ્યક્તિઓ પ્રવીણભાઈના મોટરસાયકલ નંબર જીજે 36 એબી 3688 ઉપર રણછોડગઢ ગામથી નીચી માંડલ ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે પ્રવીણભાઈ મોટરસાયકલ ચલાવતા હતા. દરમિયાન આંદરણા ગામની સીમમાં આવેલ લવારિયા તરીકે ઓળખાતી વાડી અને કેશવજીભાઈ મારવાણીયાની વાડી પાસે રોડ ઉપરથી તેઓનું બાઈક પસાર થતું હતું અને સીએનજી રીક્ષાના ચાલકે ફરિયાદીના બાઇકને સામેથી ઠોકર મારતા અકસ્માત થયો હતો જેમાં ફરિયાદી તેમજ સાગરભાઇ, અનિલભાઈ અને પ્રવીણભાઈ ચારેય રસ્તા ઉપર નીચે પડી ગયા હતા ત્યારે ફરિયાદી અને પ્રવીણભાઈ તથા અનિલભાઈને સામાન્ય ઇજાઓ થઈ હતી જોકે સાગરભાઇને માથાના ભાગે ગંભીર ઇહાં થતાં તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે સીએનજી રીક્ષાના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ તાલુકા પીએસઆઇ એ.બી મિશ્રા ચલાવી રહ્યા છે






Latest News