માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગરમ રવાપર નદી, ભક્તિનાગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો વાંકાનેરના હોલમઢ ગામે આવેલ પેટા આરોગ્ય કેન્દ્રનું NQAS ટીમ દ્વારા ચેકીંગ ટંકારાના લૂંટ કેસમાં સફળતા બદલ આઈજી દ્વારા એસપી સહિતના તમામનું કર્યું સન્માન મોરબી જિલ્લાના ધો. ૫ ના બાળકોને જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસની સુવર્ણ તક મોરબી: વીરનગરની શાળામાં ડીડીઓના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા નજીક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં એક યુવાનનું મોત: ત્રણને ઇજા


SHARE















મોરબીના આંદરણા નજીક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં એક યુવાનનું મોત: ત્રણને ઇજા

મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમાંથી ચાર સવારી મોટરસાયકલ પસાર થઈ રહ્યું હતું ત્યારે સીએનજી રીક્ષા તેની સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં એક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને અન્ય ત્રણ યુવાનોને ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવમાં ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે સીએનજી રીક્ષાના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા ભરતભાઈ કેશુભાઈ ડઢૈયા (30) નામના યુવાને હાલમાં સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 3661 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદી તથા તેના ભાઈ સાગરભાઇ તેમજ પ્રવીણભાઈ અને અનિલભાઈ ચારેય વ્યક્તિઓ પ્રવીણભાઈના મોટરસાયકલ નંબર જીજે 36 એબી 3688 ઉપર રણછોડગઢ ગામથી નીચી માંડલ ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે પ્રવીણભાઈ મોટરસાયકલ ચલાવતા હતા. દરમિયાન આંદરણા ગામની સીમમાં આવેલ લવારિયા તરીકે ઓળખાતી વાડી અને કેશવજીભાઈ મારવાણીયાની વાડી પાસે રોડ ઉપરથી તેઓનું બાઈક પસાર થતું હતું અને સીએનજી રીક્ષાના ચાલકે ફરિયાદીના બાઇકને સામેથી ઠોકર મારતા અકસ્માત થયો હતો જેમાં ફરિયાદી તેમજ સાગરભાઇ, અનિલભાઈ અને પ્રવીણભાઈ ચારેય રસ્તા ઉપર નીચે પડી ગયા હતા ત્યારે ફરિયાદી અને પ્રવીણભાઈ તથા અનિલભાઈને સામાન્ય ઇજાઓ થઈ હતી જોકે સાગરભાઇને માથાના ભાગે ગંભીર ઇહાં થતાં તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે સીએનજી રીક્ષાના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ તાલુકા પીએસઆઇ એ.બી મિશ્રા ચલાવી રહ્યા છે






Latest News