વાંકાનેરના ઢૂંવા પાસે કારખાનામાં રિવર્સ આવતી કાર હેઠળ કચડાઈ જવાથી  ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી
Breaking news
Morbi Today

મોરબીમાં એક પખવાડિયા સુધી ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પનું આયોજન


SHARE











મોરબીમાં એક પખવાડિયા સુધી ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પનું આયોજન

14 નવેમ્બર- વિશ્વ ડાયાબિટીસ દિવસથી સમગ્ર ગુજરાતમાં વિશેષ ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા થયેલ છે ત્યારે મોરબીમાં આવેલ સરસ્વતી શીશુ મંદિરમાં એક પખવાડિયા સુધી ખાસ ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પ યોજાનાર છે.

મોરબીમાં ડાયાબિટીસ દર્દીઓ માટે યોજાનાર યોગ કેમ્પની માહિતી આપતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મોરબી જિલ્લાની કોર કમિટી મેમ્બર મયુર કારીયાએ જણાવ્યુ હતું કે, ડાયાબિટીસ નિવારણ માટે વિશેષ યોગ કેમ્પનું મોરબીમાં તા.14 નવેમ્બરથી આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ભાગ લેવા માટે તમામ ડાયાબિટીસ દર્દીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે આ કેમ્પ શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન સામે આવેલ સરસ્વતી શીશુ મંદિરમાં તા 14 થી 28 સુધી 15 દિવસ સવારના 6 થી 8 ચાલશે. અને ત્યાં દરરોજ વિશેષ એક્સપર્ટ દ્વારા ડાયાબીટીસ કંટ્રોલ માટે યોગ અભ્યાસ, આયુર્વેદિક જાણકારી અને ઉપચાર આપવામાં આવશે. અને આ કેમ્પમાં ભાગ લેનાર વ્યક્તિ દીઠ ટોકન ચાર્જ રૂપે રૂપિયા 100 શિબિર સ્થળે પ્રથમ દિવસે આપવાના રહેશે. અને શિબિરમાં જોડાવવા માટે https://forms.gle/8RecmopcaqgcsCrZ9 ઓનલાઇન રજીસ્ટ્રેશન તા 10 સુધીમાં કરાવવાનું  છે અને આ કેમ્પમાં 100 વ્યક્તિઓને જ લેવાના છે જેથી કરીને વહેલા તે પહેલાના ધોરણે વ્યક્તિઓને સમાવિષ્ઠ કરવામાં આવશે. વધુ માહિતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મોરબી જિલ્લા કો-ઓર્ડીનેટર રૂપલબેન શાહ (99793 83797) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News