વાંકાનેરના ઢૂંવા પાસે કારખાનામાં રિવર્સ આવતી કાર હેઠળ કચડાઈ જવાથી  ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી
Breaking news
Morbi Today

મોરબીમાં ભાંગેલા રોડમાંથી 24 કલાક ઉડતી ધૂળની ડમરીઓ-ખાડાથી વેપારીઓ-વાહન ચાલકો ત્રાહિમામ


SHARE











મોરબીમાં ભાંગેલા રોડમાંથી 24 કલાક ઉડતી ધૂળની ડમરીઓ-ખાડાથી વેપારીઓ-વાહન ચાલકો ત્રાહિમામ

મોરબીના રહેવાસીઓ દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ નગરપાલિકાને આપે છે તેમ છતાં પણ નગરજનોને સારા રોડ રસ્તાની સુવિધા મળતી નથી તે વાસ્તવિકતા છે છેલ્લા મહિનાઓમાં પડેલા વરસાદના કારણે મોરબીના મોટાભાગના રસ્તાઓમાં ખાડા પડી ગયા છે અને સતત 24 કલાક ધૂળની ડમરીઓ ઉડતી હોય છે જેથી કરીને વાહન ચાલકો અને ખાસ કરીને વેપારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે

મોરબી પાલિકાનો રાજ્યની એ ગ્રેડની નગરપાલિકામાં સમાવેશ થાય છે પરંતુ આ એ ગ્રેડની નગરપાલિકાના વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તા પણ સારા કહેવાય તેવા ભંગાર રસ્તા છે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ચાલુ ચોમાસા દરમિયાન પડેલા વરસાદના કારણે મોરબીના હોસ્પિટલ રોડ, વિજય ટોકીઝ રોડ, જુના બસ સ્ટેશન રોડ, તખતસિંહજી રોડ, પરશુરામ પોટરી રોડ સહિતના જુદા જુદા વિસ્તારની અંદર આવેલા મુખ્ય રસ્તા કે જ્યાં દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે તે રસ્તામાં ખાડા પડી ગયા છે અને આ ખાડા નિર્દોષ વાહન ચાલકો માટે જીવલેણ બની શકે તેવી પણ શક્યતાઓ છે તેમ છતાં પણ ખાડાનું સમારકામ કરવા માટેની તસ્તી પાલિકાની ટીમ દ્વારા લેવામાં આવતી નથી

 

આટલું જ નહીં પરંતુ જે વિસ્તારોમાં રોડ ઉપર ખાડા પડી ગયા છે ત્યાં સતત 24 કલાક ધૂળની ડમરીઓ ઉડતી હોય છે જેથી કરીને રોડ ઉપર દુકાન ધરાવતા વેપારીઓ પોતાની દુકાનમાં બેસીને વેપાર ન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે જેથી કરીને કેટલાક વેપારીઓએ તો પોતાની દુકાનની અંદર ડસ્ટ ન આવે તે માટે થઈને પડદા રાખવા પડે છે આ ઉપરાંત વેપારીઓએ પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને પોતાની દુકાનમાં માસ્ક પહેરીને આજની તારીખે વેપાર ધંધા કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ મોરબીમાં થયું છે.

ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા પહેલા તો રોડ ઉપર પડેલા ખાડા અને ધૂળની સમસ્યા ઉકેલવામાં આવે અને ત્યારબાદ જે વિસ્તારની અંદર રોડ રસ્તાના કામ કરવાના છે તે કામ વહેલામાં વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી લાગણી નગરજનો વ્યક્ત કરી રહ્યા છે અને હરહંમેશ ની જેમ સરકારી જવાબ એક જ છે કે "રોડ રસ્તા ના કામ ટૂંક સમયમાં ચાલુ થવાના છે" જો કે ક્યારે થશે તે સમય જ બતાવશે અને સૌથી મોટી વાત કરે જે રોડના કામ કરવામાં આવશે તે રોડ કેટલા સમય સુધી સારા રહેશે તેની કોઈ ગેરંટી આપતું નથી.

 






Latest News