મોરબી પેપર મિલ્સ એસો.ની જીએમડીસી સમક્ષ મુશ્કેલીના સમયમાં લિગ્નાઈટના ભાવમાં સ્થિરતા જાળવવાની માંગ મોરબી મનપાની હદમાં વાડી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઈન માટેની કામગીરી પ્રગતિ હેઠળ મોરબી મનપાની એસ્ટેટ શાખા એ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી તપનભાઇ દવેનું હળવદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરાયુ સન્માન મોરબીના 108 બાકીદારોની મિલકતને સીલ કરતુ મહાનગરપાલિકા: મકાનનો વેરો ન ભરનારા 2 આસામીઓના નળ કનેક્શન કટ ગુજરાતમાં દારૂબંધીને ધજાગરા !: મોરબીના આંદરણા ગામે સરકારી શાળામાં શિક્ષક નશાની હાલતમાં વિદ્યાર્થીઓને ભણાવતા ઝડપાયો, ક્લાસરૂમમાંથી દારૂની અડધી બોટલ મળી મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે તળાવ નજીકથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થતી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાંગેલા રોડમાંથી 24 કલાક ઉડતી ધૂળની ડમરીઓ-ખાડાથી વેપારીઓ-વાહન ચાલકો ત્રાહિમામ


SHARE













મોરબીમાં ભાંગેલા રોડમાંથી 24 કલાક ઉડતી ધૂળની ડમરીઓ-ખાડાથી વેપારીઓ-વાહન ચાલકો ત્રાહિમામ

મોરબીના રહેવાસીઓ દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ નગરપાલિકાને આપે છે તેમ છતાં પણ નગરજનોને સારા રોડ રસ્તાની સુવિધા મળતી નથી તે વાસ્તવિકતા છે છેલ્લા મહિનાઓમાં પડેલા વરસાદના કારણે મોરબીના મોટાભાગના રસ્તાઓમાં ખાડા પડી ગયા છે અને સતત 24 કલાક ધૂળની ડમરીઓ ઉડતી હોય છે જેથી કરીને વાહન ચાલકો અને ખાસ કરીને વેપારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે

મોરબી પાલિકાનો રાજ્યની એ ગ્રેડની નગરપાલિકામાં સમાવેશ થાય છે પરંતુ આ એ ગ્રેડની નગરપાલિકાના વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તા પણ સારા કહેવાય તેવા ભંગાર રસ્તા છે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ચાલુ ચોમાસા દરમિયાન પડેલા વરસાદના કારણે મોરબીના હોસ્પિટલ રોડ, વિજય ટોકીઝ રોડ, જુના બસ સ્ટેશન રોડ, તખતસિંહજી રોડ, પરશુરામ પોટરી રોડ સહિતના જુદા જુદા વિસ્તારની અંદર આવેલા મુખ્ય રસ્તા કે જ્યાં દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે તે રસ્તામાં ખાડા પડી ગયા છે અને આ ખાડા નિર્દોષ વાહન ચાલકો માટે જીવલેણ બની શકે તેવી પણ શક્યતાઓ છે તેમ છતાં પણ ખાડાનું સમારકામ કરવા માટેની તસ્તી પાલિકાની ટીમ દ્વારા લેવામાં આવતી નથી

 

આટલું જ નહીં પરંતુ જે વિસ્તારોમાં રોડ ઉપર ખાડા પડી ગયા છે ત્યાં સતત 24 કલાક ધૂળની ડમરીઓ ઉડતી હોય છે જેથી કરીને રોડ ઉપર દુકાન ધરાવતા વેપારીઓ પોતાની દુકાનમાં બેસીને વેપાર ન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે જેથી કરીને કેટલાક વેપારીઓએ તો પોતાની દુકાનની અંદર ડસ્ટ ન આવે તે માટે થઈને પડદા રાખવા પડે છે આ ઉપરાંત વેપારીઓએ પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને પોતાની દુકાનમાં માસ્ક પહેરીને આજની તારીખે વેપાર ધંધા કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ મોરબીમાં થયું છે.

ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા પહેલા તો રોડ ઉપર પડેલા ખાડા અને ધૂળની સમસ્યા ઉકેલવામાં આવે અને ત્યારબાદ જે વિસ્તારની અંદર રોડ રસ્તાના કામ કરવાના છે તે કામ વહેલામાં વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી લાગણી નગરજનો વ્યક્ત કરી રહ્યા છે અને હરહંમેશ ની જેમ સરકારી જવાબ એક જ છે કે "રોડ રસ્તા ના કામ ટૂંક સમયમાં ચાલુ થવાના છે" જો કે ક્યારે થશે તે સમય જ બતાવશે અને સૌથી મોટી વાત કરે જે રોડના કામ કરવામાં આવશે તે રોડ કેટલા સમય સુધી સારા રહેશે તેની કોઈ ગેરંટી આપતું નથી.

 






Latest News