મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક વાડીમાં માલઢોર ઘૂસી જતાં સામસામે મારામારી બાદ સામસામે ફરિયાદ


SHARE





વાંકાનેર નજીક વાડીમાં માલઢોર ઘૂસી જતાં સામસામે મારામારી બાદ સામસામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના ચંદ્રપુરની સીમ વિસ્તારમાં આવેલ વાડીમાં માલઢોર ઘૂસી ગયા હતા જે બાબતનો ખાસ રાખીને બંને પક્ષેથી મારા મારી કરવામાં આવી હતી જેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા વાંકાનેર સિટી પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાકાનેરના ચંદ્રપુર ગામે મસ્જિદની બાજુમાં રહેતા અલાવદીનભાઈ માહમદભાઈ ખોરજીયા (52)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અલી રફીકભાઈ, અફઝલ દાઉદભાઈ, સોયબ રફીક, મમુબેનનો દિકરો રફીક, મરીયમબેન સંધી, નશીમબેન તથા રીક્ષા ડ્રાઈવર અલી ઉર્ફે અમન રહે. બધા ચન્દ્રપુર વાળાની સામે ફરિયાદ કરેલ છે જેમાં જણાવ્યુ છે કેઆરોપીઓના માલઢોર ફરિયાદીની વાડીમાં જતા ફરીયાદીના પત્નીએ આરોપીઓને કહેલ કે “વાડીમાં કેમ માલ ઢોર આવવા દીધેલ છે” જે આરોપીઓને સારું નહીં લાગતા તેણે ફરિયાદી તથા સાહેદો સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને લાકડી તથા પાઇપ વડે ફરિયાદી અને સાહેદોને માર મારવામાં આવ્યો હતો જેથી ફરિયાદી તથા રોશનબેન અને ઇબ્રાહીમભાઇને હાથે પગે ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જયારે સામાપક્ષેથી ગુલશન સોસાયટી જૂની ફાઇસ્ટાર પોટરીની સામેના ભાગમાં રહેતા મરીયમબેન ઉર્ફે હબીબભાઈ વિકિયાણી (55)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અલાઉદ્દીનભાઈ, તેના પત્ની રોશનબેન, ઈબ્રાહીમભાઈ માહમદભાઈ, રીઝવાનાબેન તથા સાલેહભાઈ ઈબ્રાહીમભાઈ રહે. બધા ચંદ્રપુર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કેચંદ્રપુરની ધમાચિયું સીમમાં અલાઉદ્દીનભાઈની વાડી આવેલ છે અને ફરિયાદીનો પૌત્ર તથા ભાણેજ માલઢોર ચરાવવા માટે થઈને ગયા હતા ત્યારે ધ્યાન ન રહેતા આરોપીઓની વાડીમાં માલઢોર ઘૂસી ગયા હતા જે તેઓને સારું નહીં લાગતા આરોપીઓએ ફરિયાદીને પાવડાના હાથાધોકા અને પાઇપ પડે માર માર્યો હતો અને અલીભાઈને માથામાં 20 ટકા આવ્યા હતા તેમજ ડાબા હાથના પોંચામાં ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તો અમન ઉર્ફે અલીને માથાના ભાગે માર માર્યો હોય તેને પણ ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા ફરિયાદી સહિતના ત્રણેય વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News