મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક વાડીમાં માલઢોર ઘૂસી જતાં સામસામે મારામારી બાદ સામસામે ફરિયાદ


SHARE











વાંકાનેર નજીક વાડીમાં માલઢોર ઘૂસી જતાં સામસામે મારામારી બાદ સામસામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના ચંદ્રપુરની સીમ વિસ્તારમાં આવેલ વાડીમાં માલઢોર ઘૂસી ગયા હતા જે બાબતનો ખાસ રાખીને બંને પક્ષેથી મારા મારી કરવામાં આવી હતી જેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા વાંકાનેર સિટી પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાકાનેરના ચંદ્રપુર ગામે મસ્જિદની બાજુમાં રહેતા અલાવદીનભાઈ માહમદભાઈ ખોરજીયા (52)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અલી રફીકભાઈ, અફઝલ દાઉદભાઈ, સોયબ રફીક, મમુબેનનો દિકરો રફીક, મરીયમબેન સંધી, નશીમબેન તથા રીક્ષા ડ્રાઈવર અલી ઉર્ફે અમન રહે. બધા ચન્દ્રપુર વાળાની સામે ફરિયાદ કરેલ છે જેમાં જણાવ્યુ છે કેઆરોપીઓના માલઢોર ફરિયાદીની વાડીમાં જતા ફરીયાદીના પત્નીએ આરોપીઓને કહેલ કે “વાડીમાં કેમ માલ ઢોર આવવા દીધેલ છે” જે આરોપીઓને સારું નહીં લાગતા તેણે ફરિયાદી તથા સાહેદો સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને લાકડી તથા પાઇપ વડે ફરિયાદી અને સાહેદોને માર મારવામાં આવ્યો હતો જેથી ફરિયાદી તથા રોશનબેન અને ઇબ્રાહીમભાઇને હાથે પગે ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જયારે સામાપક્ષેથી ગુલશન સોસાયટી જૂની ફાઇસ્ટાર પોટરીની સામેના ભાગમાં રહેતા મરીયમબેન ઉર્ફે હબીબભાઈ વિકિયાણી (55)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અલાઉદ્દીનભાઈ, તેના પત્ની રોશનબેન, ઈબ્રાહીમભાઈ માહમદભાઈ, રીઝવાનાબેન તથા સાલેહભાઈ ઈબ્રાહીમભાઈ રહે. બધા ચંદ્રપુર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કેચંદ્રપુરની ધમાચિયું સીમમાં અલાઉદ્દીનભાઈની વાડી આવેલ છે અને ફરિયાદીનો પૌત્ર તથા ભાણેજ માલઢોર ચરાવવા માટે થઈને ગયા હતા ત્યારે ધ્યાન ન રહેતા આરોપીઓની વાડીમાં માલઢોર ઘૂસી ગયા હતા જે તેઓને સારું નહીં લાગતા આરોપીઓએ ફરિયાદીને પાવડાના હાથાધોકા અને પાઇપ પડે માર માર્યો હતો અને અલીભાઈને માથામાં 20 ટકા આવ્યા હતા તેમજ ડાબા હાથના પોંચામાં ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તો અમન ઉર્ફે અલીને માથાના ભાગે માર માર્યો હોય તેને પણ ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા ફરિયાદી સહિતના ત્રણેય વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News