મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન મોરબી મહેન્દ્રનગર ગામે છાતીમાં દુ:ખાવો થયા બાદ યુવાનનું મૃત્યુ સરકારને ચેતવણી, જો હવે ખેડૂત હિતનો નિર્ણય જાહેર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બોલાવવામાં આવશે ખેડૂત મહા પંચાયત, અન્ય રાજ્યમાંથી પણ ખેડૂતો ઉમટી પડશે મોરબી શહેરના વોર્ડ નં.૩ સેવા સદન, કોર્ટ પરિસર, લાલબાગ સરકારી વસાહત, જાહેર ગાર્ડન તથા પાર્કિંગ વિસ્તારમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવવા રજૂઆત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા શૈક્ષણિક અને હંગર પ્રોજેક્ટ મોરબીમાં પિતાની પૂર્ણતિથિએ દીકરાએ સેવાકાર્ય કરીને આપી શ્રધ્ધાંજલિ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક વાડીમાં માલઢોર ઘૂસી જતાં સામસામે મારામારી બાદ સામસામે ફરિયાદ


SHARE









વાંકાનેર નજીક વાડીમાં માલઢોર ઘૂસી જતાં સામસામે મારામારી બાદ સામસામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના ચંદ્રપુરની સીમ વિસ્તારમાં આવેલ વાડીમાં માલઢોર ઘૂસી ગયા હતા જે બાબતનો ખાસ રાખીને બંને પક્ષેથી મારા મારી કરવામાં આવી હતી જેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા વાંકાનેર સિટી પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાકાનેરના ચંદ્રપુર ગામે મસ્જિદની બાજુમાં રહેતા અલાવદીનભાઈ માહમદભાઈ ખોરજીયા (52)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અલી રફીકભાઈ, અફઝલ દાઉદભાઈ, સોયબ રફીક, મમુબેનનો દિકરો રફીક, મરીયમબેન સંધી, નશીમબેન તથા રીક્ષા ડ્રાઈવર અલી ઉર્ફે અમન રહે. બધા ચન્દ્રપુર વાળાની સામે ફરિયાદ કરેલ છે જેમાં જણાવ્યુ છે કેઆરોપીઓના માલઢોર ફરિયાદીની વાડીમાં જતા ફરીયાદીના પત્નીએ આરોપીઓને કહેલ કે “વાડીમાં કેમ માલ ઢોર આવવા દીધેલ છે” જે આરોપીઓને સારું નહીં લાગતા તેણે ફરિયાદી તથા સાહેદો સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને લાકડી તથા પાઇપ વડે ફરિયાદી અને સાહેદોને માર મારવામાં આવ્યો હતો જેથી ફરિયાદી તથા રોશનબેન અને ઇબ્રાહીમભાઇને હાથે પગે ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જયારે સામાપક્ષેથી ગુલશન સોસાયટી જૂની ફાઇસ્ટાર પોટરીની સામેના ભાગમાં રહેતા મરીયમબેન ઉર્ફે હબીબભાઈ વિકિયાણી (55)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અલાઉદ્દીનભાઈ, તેના પત્ની રોશનબેન, ઈબ્રાહીમભાઈ માહમદભાઈ, રીઝવાનાબેન તથા સાલેહભાઈ ઈબ્રાહીમભાઈ રહે. બધા ચંદ્રપુર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કેચંદ્રપુરની ધમાચિયું સીમમાં અલાઉદ્દીનભાઈની વાડી આવેલ છે અને ફરિયાદીનો પૌત્ર તથા ભાણેજ માલઢોર ચરાવવા માટે થઈને ગયા હતા ત્યારે ધ્યાન ન રહેતા આરોપીઓની વાડીમાં માલઢોર ઘૂસી ગયા હતા જે તેઓને સારું નહીં લાગતા આરોપીઓએ ફરિયાદીને પાવડાના હાથાધોકા અને પાઇપ પડે માર માર્યો હતો અને અલીભાઈને માથામાં 20 ટકા આવ્યા હતા તેમજ ડાબા હાથના પોંચામાં ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તો અમન ઉર્ફે અલીને માથાના ભાગે માર માર્યો હોય તેને પણ ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા ફરિયાદી સહિતના ત્રણેય વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News