મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સ્વાગતોત્સવ કાર્યક્રમમાં સાંઇરામ દવેનું પ્રેરક ઉદ્બોધન મોરબીના નાગડાવાસ પાસેનો બનાવ રીક્ષા ભેંસની સાથે અથડાતા બે લોકો સારવારમાં મોરબી નજીક કારખાના સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત મોરબી તાલુકા સેવા સદન ખાતે એજન્સીના સ્ટાફને બેસવા માટેની જગ્યા ન ફાળવતા સ્ટેમ્પ પેપર મળવાનું બંધ !: અરજદારો હેરાન મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: બે મહિલા સહિત ત્રણ આરોપી 63 બોટલ દારૂ સાથે પકડાયા ટંકારાના સરાયા-હીરાપર વચ્ચે બે બોલેરો ગાડી અથડાતાં ઘૂટું ગામે રહેતા યુવાનનું મોત: બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી માટીની આડમાં દારૂની હેરાફેરી: વાંકાનેર તાલુકામાં હોટલના ગ્રાઉન્ડમાંથી 816 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર ઝડપાયું, 29.34 લાખના મુદામાલ સાથે બે પકડ્યા, બેની શોધખોળ વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું


SHARE

















વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું

વાંકાનેર નજીક બ્રહ્મસમાજ સોસાયટી પાસે રેલ્વે ટ્રેક ઉપરથી ટ્રેન પસાર થઈ હતી ત્યારે તેની આડે આધેડે કૂદકો માર્યો હતો જેથી કરીને આધેડનું મોત નીપજયું હતું જે બનાવની રેલવે સ્ટેશન માસ્તર દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા રમેશભાઈ જદુરામભાઈ રાઠોડ (55)એ વાંકાનેરમાં આવેલ બ્રહ્મસમાજ સોસાયટી પાસે આવેલ રેલવે ટ્રેક ઉપરથી રેલ્વે ટ્રેન નીકળી હતી ત્યારે તે રેલ્વે ટ્રેનની આડે કોઈ અગમ્ય કારણોસર તેને કૂદકો માર્યો હતો જેથી કરીને ગંભરી ઇજા થયેલ હોવાથી એ આધેડનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ આપઘાતના આ બનાવની વાંકાનેરના રેલવે સ્ટેશન માસ્તર પ્રણવકુમાર દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એન.એસ. લાવડીયા ચલાવી રહ્યા છે તેમની પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક આધેડ રિક્ષા ચલાવતા હતા જો કે, કયા કારણોસર આ પગલું તેમણે ભરેલ છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.

નંગ બીયર મળ્યા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણનગરમાં રહેતા મયુરભાઈ સુરેશભાઈ મકવાણાના રહેણાંક મકાન પાસેથી પોલીસ દ્વારા બિયરના છ નંગ કબ્જે કરવામાં આવ્યા છે અને 828 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કરેલ છે જો કેરેડ દરમિયાન મયુરભાઈ સુરેશભાઈ મકવાણા હાજર ન હોવાથી તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News