મોરબી પેપર મિલ્સ એસો.ની જીએમડીસી સમક્ષ મુશ્કેલીના સમયમાં લિગ્નાઈટના ભાવમાં સ્થિરતા જાળવવાની માંગ મોરબી મનપાની હદમાં વાડી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઈન માટેની કામગીરી પ્રગતિ હેઠળ મોરબી મનપાની એસ્ટેટ શાખા એ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી તપનભાઇ દવેનું હળવદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરાયુ સન્માન મોરબીના 108 બાકીદારોની મિલકતને સીલ કરતુ મહાનગરપાલિકા: મકાનનો વેરો ન ભરનારા 2 આસામીઓના નળ કનેક્શન કટ ગુજરાતમાં દારૂબંધીને ધજાગરા !: મોરબીના આંદરણા ગામે સરકારી શાળામાં શિક્ષક નશાની હાલતમાં વિદ્યાર્થીઓને ભણાવતા ઝડપાયો, ક્લાસરૂમમાંથી દારૂની અડધી બોટલ મળી મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે તળાવ નજીકથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થતી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું


SHARE













વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું

વાંકાનેર નજીક બ્રહ્મસમાજ સોસાયટી પાસે રેલ્વે ટ્રેક ઉપરથી ટ્રેન પસાર થઈ હતી ત્યારે તેની આડે આધેડે કૂદકો માર્યો હતો જેથી કરીને આધેડનું મોત નીપજયું હતું જે બનાવની રેલવે સ્ટેશન માસ્તર દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા રમેશભાઈ જદુરામભાઈ રાઠોડ (55)એ વાંકાનેરમાં આવેલ બ્રહ્મસમાજ સોસાયટી પાસે આવેલ રેલવે ટ્રેક ઉપરથી રેલ્વે ટ્રેન નીકળી હતી ત્યારે તે રેલ્વે ટ્રેનની આડે કોઈ અગમ્ય કારણોસર તેને કૂદકો માર્યો હતો જેથી કરીને ગંભરી ઇજા થયેલ હોવાથી એ આધેડનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ આપઘાતના આ બનાવની વાંકાનેરના રેલવે સ્ટેશન માસ્તર પ્રણવકુમાર દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એન.એસ. લાવડીયા ચલાવી રહ્યા છે તેમની પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક આધેડ રિક્ષા ચલાવતા હતા જો કે, કયા કારણોસર આ પગલું તેમણે ભરેલ છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.

નંગ બીયર મળ્યા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણનગરમાં રહેતા મયુરભાઈ સુરેશભાઈ મકવાણાના રહેણાંક મકાન પાસેથી પોલીસ દ્વારા બિયરના છ નંગ કબ્જે કરવામાં આવ્યા છે અને 828 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કરેલ છે જો કેરેડ દરમિયાન મયુરભાઈ સુરેશભાઈ મકવાણા હાજર ન હોવાથી તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News