એસએમસી ત્રાટકી: વાંકનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી 28,912 બોટલો દારૂ ભરેલ ટ્રક સાથે એક પકડાયો, 80.86 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ પાસેથી ૨૪૦ બોટલ દારૂ ભરેલી રીક્ષા પકડાઇ, આરોપીઓની શોધખોળ ચાલુ મોરબી નજીક કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં વધુ 2 આરોપી ની ધરપકડ  મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું


SHARE











વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું

વાંકાનેર નજીક બ્રહ્મસમાજ સોસાયટી પાસે રેલ્વે ટ્રેક ઉપરથી ટ્રેન પસાર થઈ હતી ત્યારે તેની આડે આધેડે કૂદકો માર્યો હતો જેથી કરીને આધેડનું મોત નીપજયું હતું જે બનાવની રેલવે સ્ટેશન માસ્તર દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા રમેશભાઈ જદુરામભાઈ રાઠોડ (55)એ વાંકાનેરમાં આવેલ બ્રહ્મસમાજ સોસાયટી પાસે આવેલ રેલવે ટ્રેક ઉપરથી રેલ્વે ટ્રેન નીકળી હતી ત્યારે તે રેલ્વે ટ્રેનની આડે કોઈ અગમ્ય કારણોસર તેને કૂદકો માર્યો હતો જેથી કરીને ગંભરી ઇજા થયેલ હોવાથી એ આધેડનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ આપઘાતના આ બનાવની વાંકાનેરના રેલવે સ્ટેશન માસ્તર પ્રણવકુમાર દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એન.એસ. લાવડીયા ચલાવી રહ્યા છે તેમની પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક આધેડ રિક્ષા ચલાવતા હતા જો કે, કયા કારણોસર આ પગલું તેમણે ભરેલ છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.

નંગ બીયર મળ્યા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણનગરમાં રહેતા મયુરભાઈ સુરેશભાઈ મકવાણાના રહેણાંક મકાન પાસેથી પોલીસ દ્વારા બિયરના છ નંગ કબ્જે કરવામાં આવ્યા છે અને 828 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કરેલ છે જો કેરેડ દરમિયાન મયુરભાઈ સુરેશભાઈ મકવાણા હાજર ન હોવાથી તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News