મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ઘરમાં એસિડ પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE











મોરબીના વાવડી રોડે ઘરમાં એસિડ પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ધરમનગર સોસાયટીમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરની અંદર એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે લાવ્યો હતો અને સારવાર દરમિયાન તેનુ મોત નીપજયું હતું જેથી કરીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ ધરમનગર સોસાયટીમાં રહેતા અંબારામભાઈ બાબુભાઇ રાઠોડ (ઉંમર ૩૫) એ કોઈ કારણોસર પોતાના ઘરની અંદર એસિડ પી લીધું હતું જેથી કરીને તેઓને ગંભીર અસર થતા તેઓને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં લઇને આવ્યા હતા જોકે સારવાર કારગત નીવડે ત્યારે પહેલા જ તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી માટે અંબારામભાઈ રાઠોડના આપઘાતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા 

મોરબીના પાડાપુલ નીચે નદીના પટમાં રહેતા ભગવાનભાઈ રામાભાઇ મારવાડી નામના ૨૫ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતા સારવારમાં સિવિલે લઇ જવાયો હતો. બી ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ તેને તેના ભાઈના સાળાએ કોઈ બાબતની વાતચીત દરમિયાન થયેલ બોલાચાલી બાદ માર માર્યો હતો જેથી તેને સારવાર માટે લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબી ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર એ.જે. ભાદરકા તથા સ્ટાફે શહેરના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ નજીકથી પસાર થતા ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૮૪૫૦ અને તેના ચાલક સોહીલ પ્રકાશ રાઠોડ રહે.બજાણા પાટડી સુરેન્દ્રનગરને અટકાવીને રોયલ્ટી પાસ-પરમીટ માંગ્યા હતા જે ન હોવાને લીધે રૂા.૧૦ લાખની કિંમતનું ડમ્પર જપ્ત કરીને હાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ હવાલે કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળેલ છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ






Latest News