મોરબીના સનાળા રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા અજાણ્યા યુવાનનું સારવારમાં મોત એક સાંધોને તેર તૂટે: મોરબીમાં વરસાદી પાણીનો નિકાલ ખુલ્લો કરતાં સમયે પાણીની મેઇન લાઇનમાં કર્યું ભંગાણ ! મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો કરનારા બે શખ્સ ઝડપાયા મોરબીમાં શાળાઓ શરૂ થતાની સાથે જ ટ્રાફિક પોલીસની ખાસ વાહન ચેકિંગ ડ્રાઈવ યોજાઇ મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુજરાત ગેસ કંપની દ્વારા કરાયું વૃક્ષા રોપણ હળવદમાં 15 વર્ષ જૂના ઝઘડો ખાર રાખીને યુવાન ઉપર એક શખ્સે કર્યો પાઇપ વડે હુમલો મોરબીના રંગપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રિક શોટ લાગતા સગીર બાળકનું મોત મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને છરી, લાકડી, પાઇપ વડે હુમલો કરીને યુવાનની સાત શખ્સોએ કરી હત્યા
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ઘરમાં એસિડ પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE

















મોરબીના વાવડી રોડે ઘરમાં એસિડ પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ધરમનગર સોસાયટીમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરની અંદર એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે લાવ્યો હતો અને સારવાર દરમિયાન તેનુ મોત નીપજયું હતું જેથી કરીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ ધરમનગર સોસાયટીમાં રહેતા અંબારામભાઈ બાબુભાઇ રાઠોડ (ઉંમર ૩૫) એ કોઈ કારણોસર પોતાના ઘરની અંદર એસિડ પી લીધું હતું જેથી કરીને તેઓને ગંભીર અસર થતા તેઓને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં લઇને આવ્યા હતા જોકે સારવાર કારગત નીવડે ત્યારે પહેલા જ તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી માટે અંબારામભાઈ રાઠોડના આપઘાતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા 

મોરબીના પાડાપુલ નીચે નદીના પટમાં રહેતા ભગવાનભાઈ રામાભાઇ મારવાડી નામના ૨૫ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતા સારવારમાં સિવિલે લઇ જવાયો હતો. બી ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ તેને તેના ભાઈના સાળાએ કોઈ બાબતની વાતચીત દરમિયાન થયેલ બોલાચાલી બાદ માર માર્યો હતો જેથી તેને સારવાર માટે લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબી ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર એ.જે. ભાદરકા તથા સ્ટાફે શહેરના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ નજીકથી પસાર થતા ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૮૪૫૦ અને તેના ચાલક સોહીલ પ્રકાશ રાઠોડ રહે.બજાણા પાટડી સુરેન્દ્રનગરને અટકાવીને રોયલ્ટી પાસ-પરમીટ માંગ્યા હતા જે ન હોવાને લીધે રૂા.૧૦ લાખની કિંમતનું ડમ્પર જપ્ત કરીને હાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ હવાલે કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળેલ છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ






Latest News