મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 24 હોટલ, રેસ્ટોરન્ટ, બેકરીમાં કર્યુ ચોકિંગ: અખાદ્ય કલર-વાસી ખોરાકનો કર્યો નાશ, 16 વેપારીઓને નોટીસ મોરબી નજીકના વીરપર પાસે આવેલ નવયુગ સંકુલમાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી કચ્છના સરહદીય વિસ્તાર કુરન મધ્યે સાંસદ દ્વારા રંગોત્સવની ઉજવણી કરાઇ મોરબીમાં મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીઓનું સરઘસ કાઢીને આકરી સજાની સમાજની માંગ ભુજ એરપોર્ટ ખાતે સંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર: મોરબીથી બિઝનેસ કે ફરવા માટે ગયેલા 43 જેટલા લોકો હાલમાં દુબઈમાં ફસાયા મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપતો વિશાલ સેજપાલ પત્રકાર નથી: ભોગ બનેલ લોકોને પોલીસનો સંપર્ક કરવા ડીવાયએસપીની અપીલ મોરબીના લાલપર અને ગુંગણ ગામેથી સગીરાઓના અપહરણ કરનાર ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક સિરામિક યુનીટના લેબર કવાટરમાં એસિડ પી જતા યુવાન રાજકોટ ખસેડાયો 


SHARE













મોરબીના લાલપર નજીક સિરામિક યુનીટના લેબર કવાટરમાં એસિડ પી જતા યુવાન રાજકોટ ખસેડાયો 

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ નજીકના સિરામીક યુનિટમાં રહેતા અને ત્યાં જ મજૂરી કામ કરતા યુવાને તેના કવાટરમાં કોઈ કારણોસર એસિડ પી લેતાં તેને મોરબી સિવિલે સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલા સોલો સિરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા ધવલ અરવિંદભાઈ રાઠોડ નામના ૨૧ વર્ષના યુવાને કોઈ અકળ કારણોસર એસિડ પી લેતાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જોકે અહીં મોરબીની સિવિલ હોસ્પિટલમાં ક્રિટિકલ કેર યુનિટ કાર્યરત ન હોય રાબેતા મુજબ ધવલ રાઠોડને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીગ્નાશાબેન કણસાગરાએ બનાવ અંગે આગળની તપાસ શરૂ કરી હોય કયા કારણોસર ધવલે ઉપરોકત પગલું ભર્યું તે અંગે તેમને પૂછતા ખુલાસો થયો હતો કે મૃતક ધવલ રાજકોટ રહેતો હતો અને હાલમાં મોરબી આવ્યો હતો અને તેના પિતાએ તેને કામ ધંધે લાગી જવાનું કહ્યું હતું જે બાબતનું માઠુ લાગી આવતા તેણે ઉપરોકત પગલું ભર્યું હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ગોવિંદભાઈ મૂળજીભાઈ સોલંકી (૬૫) રહે.લાલપર પંચાયતની બાજુમાં વાળાએ જાણ કરી હતી અને જણાવ્યું હતું કે, લાલપર ગામે ઓરસન ઝોન કવાટરના સામેના ભાગે લાલપરથી ભડીયાદ જતા સીસી રોડની સાઈડમાં આવેલ ખુલ્લા પ્લોટમાં અજાણ્યા આશરે ૩૦ થી ૩૫ વર્ષના યુવાનનો મૃતદેહ પડયો છે. તેથી મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીગ્નાશાબેન કણસાગરાએ જઈને તપાસ કરતાં ખુલ્યુ હતું કે ઉપરોકત સ્થળથી આસરે ૩૦ થી ૩૫ વર્ષનો યુવાનનું બીમારી સબબ મોત થતા મૃતદેહ ત્યાંથી મળી આવ્યો હતો. હાલ પોલીસે મૃતદેહનો કબજો લઈને લાસને પીએમ અર્થે મોકલી આપી છે અને અજાણ્યા મૃતક યુવાનના પરિવારજના વાલીવારસોની શોધખોળ શરૂ કરી છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”






Latest News