મોરબીમાં ઘર નજીક પગપાળા ચાલીને જતા સમયે પડી ગયેલા વૃદ્ધનું મોત મોરબીની મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 190 થી વધુ લોકોએ કર્યું રક્તદાન મોરબીના મહેન્દ્રનગર ગામે રક્તદાન કેમ્પ યોજાયો: નિવૃત શિક્ષકે કર્યું ૫૭ મી વખત રક્તદાન મોરબી જિલ્લાના વાહનોના નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીમાં દુકાને નાસ્તો લેવા ગયેલ બાળકી સાથે અડપલા કરનાર બેશર્મ વૃદ્ધની અટકાયત મોરબીના રવાપર ગામના સરપંચ પતિની જમીન પચાવી પાડવાનારાઓની સામે પગલાં લેવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ મોરબીના ખાખરાળા ગામે બાઇક અકસ્માત બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીમાં મિલકત વેરો વસૂલ કરવા 2073 મિલકતધારકોને વોરંટની બજવણી કરાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભાડે આપેલ દુકાનનો કબ્જો લેવા માટે કરેલ દાવામાં ભાડૂઆત તરફે આવ્યો ચુકાદો


SHARE















વાંકાનેરમાં ભાડે આપેલ દુકાનનો કબ્જો લેવા માટે કરેલ દાવામાં ભાડૂઆત તરફે આવ્યો ચુકાદો

વાંકાનેરમાં દુકાન ભાડે આપેલ હતી જેને ભાડુત બંધ અને પડતર હાલતમાં રાખતા દુકાનના માલિકે કોર્ટમાં દાવો કર્યો હતો જે કેસ ચાલી જતાં કોર્ટે દુકાનદારની દુકાનનો ખાલી કબ્જો મેળવવા અંગેની દાદ મંજુર રાખેલ નથી

વાંકાનેરના નીતીનભાઈ રમણીકલાલ ખરૈયાએ તેમની નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ દુકાન ભાડે આપેલ હતી અને ભાડુદુકાનને બંધ અને પડતર હાલતમાં રાખતા હતા જેથી દુકાનનો ખાલી કબ્જો મેળવવા દુકાનદારે ભાડુઆત અંદોદરીયા જયંતીલાલ કરમશીભાઈ સામે વાંકાનેરની કોર્ટમાં રે. દિવાની કેશ નં.૧૦૯/૨૧ થી દાવો દાખલ કર્યો હતો. આ દાવો વાંકાનેર કોર્ટમાં ચાલી જતા પ્રતિવાદીભાડે રાખેલ દુકાન બંધ અને પડતર હાલતમાં રાખતા હોય દુકાનના કાયમી સ્વરૂપના દુકાનમાં ફેરફાર કરેલ છે. તે મુદો કોર્ટે માન્ય રાખેલ નથી અને પ્રતિવાદી અંદોદરીયા જયંતીલાલ કરમશીભાઈને દુકાન ખાલી કરવા માટે કોર્ટે હુકમ કરેલ નથી. આમ કોર્ટના જજ એસ.કે.પટેલ સાહેબ દ્વારા વાદીની દુકાનનો ખાલી કબ્જો મેળવવા અંગેની દાદ મંજુર રાખેલ નથી આ કેસમાં પ્રતિવાદી પક્ષે મોરબીના સિનિયર વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક અને તેમની સાથે હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, વિશાલભાઈ પી.ચાવડા, કિશોરભાઈ સુરેલા ત્થા અશોકભાઈ દામાણી રોકાયેલ હતા.






Latest News