મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાના સ્મરણાર્થે વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યુ મોરબીના બાયપાસ રોડે ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી મોરબીના જેતપર ગામે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની માતા-ભાઈને ધમકી આપીને કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ મોરબીના અણીયારી ગામ પાસે તળાવ કાંઠેથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ખેતીની જમીનમાં ખડકી દેવાયેલા ત્રણ શોપિંગ સેન્ટરની 38 દુકાનો સીલ


SHARE













મોરબીમાં ખેતીની જમીનમાં ખડકી દેવાયેલા ત્રણ શોપિંગ સેન્ટરની 38 દુકાનો સીલ

મોરબીના કંડલા બાઇપાસ રોડ નજીક આવેલ ખેતીવાડીની જમીનમાં બિનખેતી કરાવ્યા વગર જ કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દેવામાં આવ્યા હતા જેથી કરીને મહાપાલિકા દ્વારા આજની તારીખે એક કે બે નહીં પંરતુ ત્રણ કોમ્પલેક્ષની 38 જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવેલ છે

મોરબી નગરપાલિકા હતી ત્યારે કોઈપણ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ આડેધડ કોઈપણ પ્રકારે મંજૂરી લીધા વગર બાંધકામો કરી નાખવામાં આવતા હતા અને આવી રીતે ઊભા કરવામાં આવેલા ગેરકાયદે બંધકામોને છેલ્લા વર્ષોમાં જે ઇમ્પેક્ટ ફી ની યોજના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી હતી તેમાં આવરી લેવામાં આવેલ છે અને ઇમ્પેક્ટ ફી લઈને ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઈઝ્ડ કરી દેવામાં આવ્યા છે જોકેમોરબી મહાપાલીકા અસ્તિત્વમાં આવ્યા બાદ કમિશનરની સૂચના મુજબ સમગ્ર સ્ટાફ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ વચ્ચેના વિસ્તારમાં આવેલ ગોકુળ મથુરા સોસાયટી પાસે 7 દુકાનવાળું એક કોમ્પ્લેક્સ ખેતીની જમીનમાં બિનખેતી કરાવ્યા વગર ઊભું કરવામાં આવ્યું છે તેવી જ રીતે તેની સામેના ભાગમાં 12 દુકાન વાળું બે માળનું કોમ્પ્લેક્સ અને દલવાડી સર્કલ પાસે 19 દુકાનવાળું એક કોમ્પ્લેક્સ ખેતીની જમીનમાં બિનખેતી કરાવ્યા વગર ઊભું કરવામાં આવ્યું છે જેથી ત્રણ કોમ્પ્લેક્સમાં બનાવવામાં આવેલ કુલ મળીને 38 જેટલી દુકાન સીલ કરેલ છે અને આ બાંધકામ કરનારા આસામીઓને અગાઉ બાંધકામ મંજૂરી ન હોવાથી નોટિસ આપવામાં આવી હતી ત્યારે બાદ આજે ત્રણેય શોપિંગ સેન્ટરને સીલ કરેલ છે અને હવે બિનખેતી તેમજ બાંધકામ માટે ઇમ્પેક્ટ ફ્રી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે ત્યાર બાદ જ આ ત્રણેય શોપિંગ સેન્ટરની દુકાનોના સીલ ખુલશે તેવું મહાપાલીકાના અધિકારી શુભમ પટેલે માહિતી આપતા જણાવ્યું છે.




Latest News