મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં મોરબી : આપત્તિ વ્યવસ્થાપન અને જન સુરક્ષા માટે હળવદના રણમલપુર ખાતે આઈઓસી દ્વારા ઓફસાઈટ મોકડ્રીલ યોજાઈ મોરબી જલારામ ધામ ખાતે રામનવમીના પાવન પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે લાસ્ટ યરની વિદ્યાર્થીનીએ ભાવુક હ્દયે અનુભવો વર્ણવ્યા મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ હળવદ પ્રખંડ દ્રારા રામનવમીની તૈયારીમાં બાવન ગામમાંથી લોકો ઉમટી પડયા મોરબીમાં પોલીસની જનસંપર્ક સભામાં વ્યાજખોરોના ભોગ બનેલા 7 થી 8 લોકોએ કરી રજૂઆત મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા લગ્નજીવનના 50 વર્ષ પૂર્ણ કરનાર દંપતિઓ-વડિલોના કરાશે સન્માન માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં ખેતીની જમીનમાં ખડકી દેવાયેલા ત્રણ શોપિંગ સેન્ટરની 38 દુકાનો સીલ


SHARE











મોરબીમાં ખેતીની જમીનમાં ખડકી દેવાયેલા ત્રણ શોપિંગ સેન્ટરની 38 દુકાનો સીલ

મોરબીના કંડલા બાઇપાસ રોડ નજીક આવેલ ખેતીવાડીની જમીનમાં બિનખેતી કરાવ્યા વગર જ કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દેવામાં આવ્યા હતા જેથી કરીને મહાપાલિકા દ્વારા આજની તારીખે એક કે બે નહીં પંરતુ ત્રણ કોમ્પલેક્ષની 38 જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવેલ છે

મોરબી નગરપાલિકા હતી ત્યારે કોઈપણ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ આડેધડ કોઈપણ પ્રકારે મંજૂરી લીધા વગર બાંધકામો કરી નાખવામાં આવતા હતા અને આવી રીતે ઊભા કરવામાં આવેલા ગેરકાયદે બંધકામોને છેલ્લા વર્ષોમાં જે ઇમ્પેક્ટ ફી ની યોજના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી હતી તેમાં આવરી લેવામાં આવેલ છે અને ઇમ્પેક્ટ ફી લઈને ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઈઝ્ડ કરી દેવામાં આવ્યા છે જોકેમોરબી મહાપાલીકા અસ્તિત્વમાં આવ્યા બાદ કમિશનરની સૂચના મુજબ સમગ્ર સ્ટાફ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ વચ્ચેના વિસ્તારમાં આવેલ ગોકુળ મથુરા સોસાયટી પાસે 7 દુકાનવાળું એક કોમ્પ્લેક્સ ખેતીની જમીનમાં બિનખેતી કરાવ્યા વગર ઊભું કરવામાં આવ્યું છે તેવી જ રીતે તેની સામેના ભાગમાં 12 દુકાન વાળું બે માળનું કોમ્પ્લેક્સ અને દલવાડી સર્કલ પાસે 19 દુકાનવાળું એક કોમ્પ્લેક્સ ખેતીની જમીનમાં બિનખેતી કરાવ્યા વગર ઊભું કરવામાં આવ્યું છે જેથી ત્રણ કોમ્પ્લેક્સમાં બનાવવામાં આવેલ કુલ મળીને 38 જેટલી દુકાન સીલ કરેલ છે અને આ બાંધકામ કરનારા આસામીઓને અગાઉ બાંધકામ મંજૂરી ન હોવાથી નોટિસ આપવામાં આવી હતી ત્યારે બાદ આજે ત્રણેય શોપિંગ સેન્ટરને સીલ કરેલ છે અને હવે બિનખેતી તેમજ બાંધકામ માટે ઇમ્પેક્ટ ફ્રી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે ત્યાર બાદ જ આ ત્રણેય શોપિંગ સેન્ટરની દુકાનોના સીલ ખુલશે તેવું મહાપાલીકાના અધિકારી શુભમ પટેલે માહિતી આપતા જણાવ્યું છે.




Latest News