નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીમાં બંધ થતા સિરામિક કારખાનાઓને લઇને રાજ્યના મુખ્યમંત્રી પણ ચિંતિત, મદદ માટે તૈયારી દર્શાવી: મનોજભાઈ એરવાડિયા


SHARE





મોરબીમાં બંધ થતા સિરામિક કારખાનાઓને લઇને રાજ્યના મુખ્યમંત્રી પણ ચિંતિત, મદદ માટે તૈયારી દર્શાવી: મનોજભાઈ એરવાડિયા

મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં વિકટ પરિસ્થિતિમાં છે ત્યારે આજે મોરબી સિરામિક એસો.ના પ્રમુખની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસની અંદર મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત 100 જેટલા સીરામીકના કારખાના બંધ થઈ ગયા છે અને આગામી દિવસોમાં આ આંકડો વધીને સાડા ચારસો સુધી પહોચે તો પણ નવાઈ નથી.

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને તેની સૌથી મોટી અસર મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગમાં જોવા મળી રહી છે અહીના સીરામીક કારખાનાઓની અંદર સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે જોકે નેચરલ ગેસની સપ્લાય ગુજરાત ગેસ કંપની દ્વારા કરવામાં આવે છે અને તેઓ દ્વારા હાલમાં ઔદ્યોગિક એકમોની અંદર નેચરલ ગેસની સપ્લાઈ કરવામાં આવે છે પરંતુ પ્રોપેન ગેસની સપ્લાય જુદી જુદી કંપનીઓ અને એજન્ટો દ્વારા કરવામાં આવતી હોય છે અને જે કંપનીઓ દ્વારા પ્રોપેન ગેસની સપ્લાય કરવામાં આવી છે તેઓની પાસે જ હાલમાં પ્રોપેન ગેસ ન હોવાથી સીરામીક કારખાનાઓમાં પ્રોપેન ગેસની સપ્લાય છેલ્લા બે દિવસથી બંધ થવા લાગી છે જેના કારણે છેલ્લા બે દિવસમાં મોરબીમાં 100 જેટલા સિરામિક કારખાનાઓ બંધ થઈ ગયા છે અને આગામી સંખ્યા દિવસોમાં કારખાના બંધ થવાનો આંકડો વધીને 450 સુધી પહોચે તેવી શક્યતા છે.

આજે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, મોરબીના સીરામીક ઉદ્યોગકારો હાલમાં વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે હાલમાં પ્રોપેન ગેસ ન મળતો હોવાથી કારખાના બંધ, કારખાનામાં પડેલ તૈયાર માલ એક્સપોર્ટ બંધ હોવાથી વેચાતો નથી, અગાઉ વેચાણ કરેલા માલના રૂપિયા આવતા નથી આમ ચારે બાજુથી મોરબીના ઉદ્યોગકારો ઘેરાઈ ગયા છે. જોકે સિરામિક કારખાનામાં રોજગારી મેળવતા શ્રમિકો કે તેના પરિવારજનો હેરાન ન થાય તેના માટેની વ્યવસ્થા જે તે કારખાનેદાર કે કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવી રહી છે અને ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ ટંકારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સાથે ટેલિફોનિક વાત કરીને મોરબીના સિરામિક ઉદ્યોગને હાલની સ્થિતિમાં રાજ્ય સરકાર કઈ રીતે મદદરૂપ બની શકે તેની માહિતી મેળવી હતી અને મદદ કરવા માટેની તૈયારી મુખ્યમંત્રીએ દર્શાવી છે અને આગામી સમયમાં જરૂર પડશે ત્યારે સીરામીક એસો. દ્વારા સરકાર પાસે પણ મદદ માટે રજૂઆત કરવામાં આવશે




Latest News