મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE













મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામે સીરામીક યુનિટમાં કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોટ લાગવાથી યુવાનનું મોત નીપજેલ છે.બનાવને પગલે નોંધ કરીને તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામ પાસે આવેલા મેક્સ ગ્રેનાઇટો નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો સુમિત શ્યામનારાયણ ચૌહાણ નામનો ૨૩ વર્ષનો મજૂર યુવાન કારખાનાની અંદર ગ્લેઝલાઈનમાં કામ કરતો હતો.ત્યારે તેને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો.જેથી તેનું મોત નીપજયું  હતું.બનાવને પગલે ડેડબોડીને અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યુ હતુ.બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

શોભેશ્વર રોડ ખાતે સામસામે મારામારી

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલા હોમ ડેકોર નામના કારખાનામાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં લોખંડના પાઇપ અને ધોકા વડે સામસામે મારામારી થતા માથા તથા શરીરે ઇજાગ્રસ્ત હાલતમાં જીતુભાઈ રામલાલ યાદવ (૩૨) રહે.હોમ ડેકોર સિરામિક પાસે શોભેશ્વર રોડ, પ્યારેલાલ સોહનપ્રસાદ યાદવ (૪૫), મુલાયમસિંહ મહાવીરસિંહ નિશાદ (25) રહે.હોમ ડેકોર સીરામીક પાસે શોભેશ્વર રોડ, શિવરત્ન શ્યામબાબુ નિષાદ (૩૦) અને અરૂણ અનિલભાઈ નિશાદ (૨૩) રહે.બંનેટાઇટન સિરામિક ઉચી માંડલ પાસે હળવદ રોડ મોરબી ને ઇજાઓ થયેલ હોય સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે પૈકી  પ્યારેલાલ સોહનપ્રસાદ યાદવની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર વખતે અત્રેની ખાનગી નક્ષત્ર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.બનાવની બી ડિવિઝન પોલીસને જાણ થતા સ્ટાફના મૌમજીભાઈ ચૌહાણ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.






Latest News