નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે તળાવની બાજુમાં નીલ ગાયનો શિકાર


SHARE





માળીયા (મી)ના બગસરા ગામે તળાવની બાજુમાં નીલ ગાયનો શિકાર

માળીયા મીયાણા તાલુકાના બગસરા ગામે તળાવની બાજુમાં રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નીલ ગાયનો શિકાર કરવામાં આવ્યો છે અને નીલ ગાયનો શિકાર કરવા માટે તેના ઉપર ફાયરિંગ કર્યું હોય તેવું નિશાન મૃત હાલતમાં પડેલ નીલ ગાય ઉપર જોવા મળી રહ્યું છે અને તેના ગાળાના ભાગે તીક્ષણ હથિયાર પણ મરવામાં આવેલ છે તેવું નિશાન હાલમાં જોવા મળી રહ્યું છે જેથી કરીને ગામના લોકો દ્વારા આ બનાવની દ્વારા સંબંધીત વિભાગને જાણ કરવામાં આવી છે અને અબોલજીવનો શિકાર કરનારા શખ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

માળિયા (મી) તાલુકાના જુદા જુદા વિસ્તારમાં અવારનવાર નીલ ગાયનો શિકાર કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવતી હોય છે તેવામાં આજે માળિયાના બગસરા ગામના સીમ વિસ્તારમાં તળાવની પાછળના ભાગમાં નીલ ગાયનો શિકાર કરવામાં આવ્યો હોય તેવી માહિતી ગામના જાગૃત વ્યક્તિને મળી હતી જેથી ગ્રામજનો ત્યા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્યારે સ્થળ ઉપર નીલ ગાય મૃત હાલતમાં પડી હતી તેના શરીર ઉપર તિક્ષણ હથિયારના ઘા મારવામાં આવ્યા હોય તેવા નિશાન અને બંદૂકથી ફાયરિંગ કર્યું હોય તેવું ઇજાનું નિશાન પણ જોવા મળતું હતું જેથી આ બનાવની જાણ સબંધિત વિભાગના અધિકારીને કરવામાં આવેલ છે અને અબોલજીવનો શિકાર કરવામાં આવતા ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે અને નીલ ગાયનો શિકાર કરનારા જે કોઈ વ્યક્તિ હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ લાગણી વ્યક્ત કરી છે.




Latest News