માળીયા (મી)ના બગસરા ગામે તળાવની બાજુમાં નીલ ગાયનો શિકાર મોરબીમાં બંધ થતા સિરામિક કારખાનાઓને લઇને રાજ્યના મુખ્યમંત્રી પણ ચિંતિત, મદદ માટે તૈયારી દર્શાવી: મનોજભાઈ એરવાડિયા મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતા સિરામિક કારખાનાઓ બંધ : શ્રમિકોને રહેવા-રાશનની વ્યવસ્થા કરાવતા કારખાનેદારો-કોન્ટ્રાકટરો મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સોઓરડીના લોકોની વ્યથાને સાંભળી મોરબી જિલ્લામાં ભાજપના હોદ્દેદારોની નિમણૂંકમાં ચુવાળીયા કોળી સમાજને થયેલા અન્યાયના મુદ્દે પ્રદેશ અધ્યક્ષને રજૂઆત મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે તળાવની બાજુમાં નીલ ગાયનો શિકાર


SHARE













માળીયા (મી)ના બગસરા ગામે તળાવની બાજુમાં નીલ ગાયનો શિકાર

માળીયા મીયાણા તાલુકાના બગસરા ગામે તળાવની બાજુમાં રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નીલ ગાયનો શિકાર કરવામાં આવ્યો છે અને નીલ ગાયનો શિકાર કરવા માટે તેના ઉપર ફાયરિંગ કર્યું હોય તેવું નિશાન મૃત હાલતમાં પડેલ નીલ ગાય ઉપર જોવા મળી રહ્યું છે અને તેના ગાળાના ભાગે તીક્ષણ હથિયાર પણ મરવામાં આવેલ છે તેવું નિશાન હાલમાં જોવા મળી રહ્યું છે જેથી કરીને ગામના લોકો દ્વારા આ બનાવની દ્વારા સંબંધીત વિભાગને જાણ કરવામાં આવી છે અને અબોલજીવનો શિકાર કરનારા શખ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

માળિયા (મી) તાલુકાના જુદા જુદા વિસ્તારમાં અવારનવાર નીલ ગાયનો શિકાર કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવતી હોય છે તેવામાં આજે માળિયાના બગસરા ગામના સીમ વિસ્તારમાં તળાવની પાછળના ભાગમાં નીલ ગાયનો શિકાર કરવામાં આવ્યો હોય તેવી માહિતી ગામના જાગૃત વ્યક્તિને મળી હતી જેથી ગ્રામજનો ત્યા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્યારે સ્થળ ઉપર નીલ ગાય મૃત હાલતમાં પડી હતી તેના શરીર ઉપર તિક્ષણ હથિયારના ઘા મારવામાં આવ્યા હોય તેવા નિશાન અને બંદૂકથી ફાયરિંગ કર્યું હોય તેવું ઇજાનું નિશાન પણ જોવા મળતું હતું જેથી આ બનાવની જાણ સબંધિત વિભાગના અધિકારીને કરવામાં આવેલ છે અને અબોલજીવનો શિકાર કરવામાં આવતા ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે અને નીલ ગાયનો શિકાર કરનારા જે કોઈ વ્યક્તિ હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ લાગણી વ્યક્ત કરી છે.








Latest News