મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના મહિકા પાસે ટ્રકની પાછળ આઇસર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE











વાંકાનેરના મહિકા પાસે ટ્રકની પાછળ આઇસર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના મહીકા ગામ પાસે હાઇવે રોડ ઉપરથી યુવાન આઇસર લઈને પસાર થઈ રહ્યો હતો દરમિયાન તેણે આગળ જતા ટ્રકની પાછળના ભાગમાં તેનું આઇસર અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો જેમાં આઇસરના ચાલકને ગંભીર ઇજાઓ થઇ હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજ્યું છે જેથી અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ દેવભૂમિ દ્વારકાના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં પરશુરામ પોટરી પટેલ વાડીની સામેની શેરીમાં રહેતા જીતેન્દ્રસિંહ માનસિંહ જાડેજા (41)એ આઇસર નંબર જીજે 1 ડીયુ 1597 ના ચાલક વિપુલભાઈ સરવણભાઈ રાઠોડ રહે. જસદણ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તારીખ 10/4 ના રોજ બપોરના ત્રણેક વાગ્યે અરસામાં આરોપી પોતાના હવાલા વાળું આઇસર વાંકાનેર હાઇવે રોડ ઉપર મહીકા ગામ પાસેથી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળના ભાગમાં જઈ રહેલા ફરીયાદીની ટ્રક નંબર જીજે 12 બીવાય 9047 ની પાછળના ભાગમાં આઇસર અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વિપુલભાઈ રાઠોડ ને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં જીતેન્દ્રસિંહ જાડેજા એ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News