મોરબીના દાઉદી વ્હોરા સમાજ દ્વારા હુમલાના દિવંગતોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ
મોરબી જીલ્લા આપ દ્રારા આતંકી હુમલાના દિવંગતોના પરિવારને સહાય અને આરોપીઓને કડક સજાની માંગ
SHARE








મોરબી જીલ્લા આપ દ્રારા આતંકી હુમલાના દિવંગતોના પરિવારને સહાય અને આરોપીઓને કડક સજાની માંગ
મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્રારા કાશ્મીરમાં થયેલ હુમલામાં મુત્યુ પામેલ લોકોને સહાય આપવાની અને આંતકવાદી સામે કડક કાર્યાવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે
આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઇ પટેલની આગેવાની હેઠળ મોરબી જીલ્લા ટીમ દ્રારા કલેક્ટર મારફત પ્રધાનમંત્રીને કાશ્મીરમાં થયેલ હુમલા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જે આવેદનપત્રમાં પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ મૃતકોના પરિવારોના ભરણપોષણ માટે તથા બાળકોના ભવિષ્ય માટે એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે, મૃતકના પરિવારમાં જે પણ શૈક્ષણિક લાયકાત ધરાવતું હોય તેને સરકારી નોકરી આપવી, ભવિષ્યમાં આતંકવાદી હુમલાઓ રોકવા માટે સરકારે કડક પગલા લેવા જ જોઈએ. અને આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે

