મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ પાસે અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોવાની શંકા રાખીને પતિએ પત્નીને મારમાર્યો: મારી નાખવાની ધમકી


SHARE











વાંકાનેરના માટેલ પાસે અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોવાની શંકા રાખીને પતિએ પત્નીને મારમાર્યો: મારી નાખવાની ધમકી

વાંકાનેરના માટેલ મંદિર નજીક આવેલ સીરામીક કારખાનાના ક્વાર્ટરમાં રહેતી અને મજૂરી કામ કરતી મહિલા અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોવાની શંકા રાખીને તેના પતિએ તેને ગાળો આપી હતી અને લાકડી વડે માર મારીને ઇજા કરી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ હાલમાં તેના પતિ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક મંદિર પાસે આવેલ ઢુવા સંસ્કાર ટાઇલ્સ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નીરૂબેન રાજેશભાઈ અમલીયાર (35)એ હાલમાં તેના પતિ રાજેશભાઈ મકનાભાઈ અમલીયાર સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના ઉપર તેના પતિ અન્ય વ્યક્તિ સાથે વાત કરે છે તેવી શંકા રાખતા હતા અને તેણે ભૂંડાબોલી ગાળો આપીને લાકડી વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલ મહિલાને ઈજા થઈ હોવાથી સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોતાના પતિની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવાન સારવારમાં
મોરબીના માળિયા હાઇવે ઉપરના ભરતનગર ગામે આવેલ ક્રિષ્ના હોટલના ગ્રાઉન્ડમાં ઇજાગ્રસ્ત હાલતમાં ભરતસિંહ લાભુભા જાડેજા (ઉંમર ૩૦) રહે.ડબસણ જી.જામનગરને ૧૦૮ વડે અત્રેની સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના ગાંધી ચોક વિસ્તારમાં આવેલ મેલડી માતાના મંદિર પાસેથી પગપાળા જતા સમયે અજાણ્યા મોટરસાયકલના ચાલકે હડફેટે લેતા આશાબેન દીદારઅલી પંજવાણી (૪૫) રહે.કુબેરનગર શેરી નંબર-૧ વાવડી રોડને અત્રેની સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.તેમજ મોરબીના સામાકાંઠે આવેલ અરૂણોદય મિલના સામેના ભાગે વેજીટેબલ રોડ ઉપર રહેતા જીલુભાઈ મગનભાઈ વાઘેલા નામના ૫૭ વર્ષના વૃદ્ધને જેલ રોડ ઉપર બાઈકમાં જતા સમયે બાઈકમાંથી પડી જતા ઇજા થતાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.






Latest News