ટંકારાના હીરાપર નજીક કારખાનાના ખુલ્લા મેદાનમાં સૂતેલા યુવાનના મોબાઈલ ફોનની ચોરી મોરબીમાં પત્ની સાથે ફોન ઉપર વાત કરતાં શખ્સ સહિત કુલ ચાર શખ્સોએ યુવાનને લાકડી-ઢીકાપાટુનો મારમાર્યો, મારી નાખવાની ધમકી માળીયા (મી)ના સરવડ પાસેથી દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા, 3.30 લાખનો મુદામાલ કબજે: એકની શોધખોળ વાંકાનેરમાં પેલેસ્ટાઇનના ઝંડા સાથેની ગાડી લઈને નીકળેલ શખ્સની પણ ધરપકડ હળવદ શહેર ભાજપ પ્રમુખના જન્મદિને યોજાયેલ રક્તદાન કેમ્પમાં 331 રકતદાતાઓએ કર્યું રકતદાન મોરબીના આમરણ પાસે અકસ્માત બાદ રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત-એક સારવારમાં મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને અજુગતુ પગલુ ભરી લેતા સારવારમાં માળિયા (મી)માં એક જ પરિવારના 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં સારવારમા
Breaking news
Morbi Today

મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે


SHARE















મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે
 
મોરબીના અમરાપર (ના.) મુકામે જીલરીયાનો પરિવાર દ્વારા શ્રી મોમાઈ માતાજીનો ૧૫ મો ભવ્ય પાટોત્સવ ધામધુમથી ઉજવાશે.આ તકે જગદગુરૂ શંકરાચાર્યજીનું વિશેષ સાન્નિધ્ય રહેશે તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી મુળુભાઈ બેરા, મંત્રી રાઘવજીભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહેશે.આ દરમિયાન પ્રસિદ્ધ કલાકારો સાથે સંતવાણી અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.આગામી તા.૩ ને શનિવારના રોજ મોરબી તાલુકાના અમરાપર (ના.) મુકામે સમગ્ર જીલરીયા પરિવાર દ્વારા શ્રી મોમાઈ માતાજીના મંદિરનો ૧૫ મો ભવ્ય પાટોત્સવ ઉજવવાનું આયોજન થયેલ છે.જે સમારોહના મુખ્ય આયોજક સૂરતના રહેવાસી આહીર અગ્રણી વરજાંગભાઈ જીલરીયા છે.
 
આ ઉત્સવમાં શારદાપીઠાધિશ્વર, જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી હાજરી આપવાના છે.તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી મુળુભાઈ બેરા, મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, ભગવાનભાઈ બારડ, હેમંતભાઈ હરદાસભાઈ તથા જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, નાફેડ ડાયરેકટર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, કૃભકો ડાયરેક્ટર મગનભાઈ વડાવીયા, અગ્રણી ઉદ્યોગપતિ દિલુભા જાડેજા તેમજ કલેક્ટર, ડીડીઓ, એસપી ખાસ ઉપસ્થિત રહેશે.તા.૨ ને શુક્રવારના રોજ રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ગોવિંદભાઈ પાલિયા, હિતેષગીરી ગોસ્વામી, લાખાભાઈ કુંભરવાડીયા તથા રાજુભાઈ આહીર ભજન તથા લોકસાહિત્ય પીરસશે. જયારે તા.૩ ને શનિવારના રોજ સવારે નવચંડી યજ્ઞ, પૂજ્ય શંકરાચાર્યજીના આશિર્વચન બાદ બપોરે  મહાપ્રસાદ યોજાશે. ૧૫ માં પાટોત્સવ સમારોહમાં પધારવા તેમજ મોમાઈ માતાજીના દર્શન કરવા પૂજ્ય શંકરાચાર્યજીના આશીર્વચન અને મહાપ્રસાદનો લાભ લેવા સમગ્ર જીલરીયા પરિવાર તથા મુખ્ય આયોજક વરજાંગભાઈ જીલરીયા દ્વારા  સર્વેને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવેલ છે.





Latest News