મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત


SHARE







મોરબીના જુના ઘુટુ રોડ ઉપર કારખાનાના લેબર ક્વાર્ટરમાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને તે પોતાના ક્વાર્ટરમાં હતો ત્યારે લોહીની ઉલટી થઈ હતી ત્યાર બાદ તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રાજપરા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ અલ્ટ્રા સેનેટરી વેર નામના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા ગેલાભાઈ પાલાભાઈ વાઘેલા (46) નામના યુવાનને છેલ્લા પાંચેક વર્ષથી ડાયાબિટીસની બીમારી હતી અને ગઈકાલે તે પોતાના લેબર ક્વાર્ટરની અંદર હતો ત્યારે તેને લોહીની ઉલટી થઈ હતી અને ત્યાર બાદ તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના નાના ભાઈ માવજીભાઈ પાલાભાઈ વાઘેલા (26) રહે. હાલ જુના ઘૂટું રોડ અલ્ટ્રા સેનેટરી વેર કારખાનાની લેબર કોલોની મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

છરી મારતા સારવારમાં

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ આઈકોન કંપની ખાતે રહેતા અને મજૂરી કામ કરતા અનુરાગ કમલભાઈ વસુનીયા (22) નામના યુવાનને શ્રીનાથ વેબ્રિજ નજીક કોઈ અજાણ્યા શખ્સે છરી મારી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનવાની પોલીસને જાણ કરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા જીતુભાઈ મુકેશભાઈ ધુમલ (30) નામના યુવાનને કુલીનગરના ખૂણા પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે.






Latest News