મોરબીમાં મહિલા દિવસ નિમિતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકેલ કેમ્પ યોજાયો
અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતા ગુરુવારે બૌદ્ધિક કાર્યશાળા
SHARE
અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતા ગુરુવારે બૌદ્ધિક કાર્યશાળા
અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતા ગુરુવારે ફાગણ વદ ૦૯ દિનાંક ૧૨-૩ ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યશાળા નિલકંઠ વિદ્યાલય , રવાપર રોડ કેન્દ્ર, શનાળા રોડ, આઈ.એમ.એ. હોવાની સામે સ્થાને યોજાશે. આ કાર્યશાળામાં મોરબીના ડો અમિતભાઈ પરમાર( મનોચિકિત્સક, મોરબી નગર સંપર્ક પ્રમુખ) જેઓ ભારતીય મંદિરો : આપણા બાળકો અને મોબાઈલ વિષય પર વ્યાખ્યાન આપશે. આ કાર્યશાળા છેલ્લા ૪ વર્ષથી સાતત્યપૂર્ણ ચાલે છે, રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને ચર્ચામાં પણ કરવામાં આવે છે. રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકનું ખૂબ મોટું યોગદાન હોય છે તો આવા રાષ્ટ્રભક્ત લોકોને આ માસિક બૌદ્ધિક મિલન(કાર્યશાળા)માં જોડાવવા અધ્યયન મંડળ મોરબીના સંયોજક ડો.જયેશ પનારા સહસંયોજક વિજયભાઈ રાવલ, કમલેશભાઈ અંબાસણા અને ભાવેશભાઈ હડિયલ દ્વારા નમ્ર અપિલ કરવામાં આવેલ છે.