મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઉશ્કેરાટમાં આવીને યુવાને પોતાના જ પગ ઉપર છરીનો ઘા ઝીકયો: રાજકોટ સારવારમાં


SHARE











મોરબીમાં ઉશ્કેરાટમાં આવીને યુવાને પોતાના જ પગ ઉપર છરીનો ઘા ઝીકયો: રાજકોટ સારવારમાં

મોરબીમાં દરબારગઢ પાસે રહેતા યુવાનને તેના પત્ની સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી ત્યારબાદ તે યુવાને પોતે પોતાની જાતે છરી વડે પગ ઉપર ગંભીર ઇજા કરી લીધી હતી જેથી કરીને સારવાર માટે તેને પ્રથમ મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં દરબારગઢ પાસે રહેતા રઘુવીરસિંહ હરિસિંહ રાઠોડ (32) નામના યુવાને પોતે પોતાની જાતે પગ ઉપર છરી વડે ગંભીર ઇજા કરી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને હોસ્પિટલ મારફતે આ બનાવની પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે દરમિયાન ઇજાગ્રસ્ત રઘુવીરસિંહના ભાઈ કુલદીપસિંહ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે રઘુવીરસિંહને તેઓના પત્ની સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ તેઓએ ઉશ્કેરાટમાં આવીને પોતે પોતાની જાતે પોતાના પગ ઉપર છરી વડે ઇજા કરી લીધી જેથી તેમને સારવાર માટે રાજકોટ લઈને આવ્યા છે

આધેડ સારવારમાં

મોરબી તાલુકાના જીંજુડા ગામે રહેતા અબ્દુલશા મીશા (50) નામના આધેડને કોઈ ઝેરી જનાવર કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.






Latest News