મોરબીમાં કાંતિભાઈ અમૃતિયાનુ  સ્વાસ્થ્ય જલ્દીથી સારું થાય તેના માટે મહાકાળી માતાજીના મંદિરે મહાઆરતી યોજાઇ મોરબી નજીકથી દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ, 5 લાખનો મુદમાલા કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબી જેટકોમાંથી નિવૃત થતાં પંકજભાઈ ઠાકરનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના મેઘપર ઝાલા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા મોરબીમાં મુસ્લિમ યુવાનની હત્યા કરીને લાશને સળગાવી દફન કરી દેનાર 7 પૈકીનાં 5 ની ધરપકડ: બે કાર કબ્જે લીધી મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા આગામી રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ મોરબીના રણ વિસ્તારમાં અગરિયાના બાળકોને શિક્ષણ આપવા ‘બાલમિત્ર’ તરીકે જોડાવા યુવાનોને તક મોરબી એસઓજીએ ટંકારાના એનડીપીએસના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર ઇસમને ઝડપી પાડ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં વાસ્મો સમિતિ તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેસ-૨ની કામગીરી બાબતે બેઠક યોજાઈ


SHARE













મોરબીમાં વાસ્મો સમિતિ તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેસ-૨ની કામગીરી બાબતે બેઠક યોજાઈ

મોરબી જિલ્લા વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્મો) તથા મોરબી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ ની કામગીરી બાબતે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં પાણી પુરવઠા બોર્ડ હેઠળ રીજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત થતા કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી અને ગામડાઓમાં સપ્રમાણ આંતરિક પાણી વિતરણ વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ દ્વારા ઓવરહેડ સંપ કે પાણીના ટેન્કની આસપાસ ગંદકી દૂર કરવા અને આ પ્રકારના જાહેર પાણીના વિતરણ માટેના સ્ત્રોતની સફાઈ બાબતે પણ સૂચના આપવામાં આવી હતી. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ અંતર્ગત જિલ્લામાં વ્યક્તિગત શૌચાલય નિર્માણની કામગીરી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત સામુહિક શૌચાલય માટે ગામની પસંદગી વખતે ધાર્મિક સ્થળ, લોકોની અવરજવર વધુ હોય તેવા સ્થળ ઉપરાંત અગરીયાઓના વિસ્તાર મુજબ ગામ અને સ્થળની પસંદગી કરવા સહિતના મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News