મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા
ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી
SHARE
ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી
રવિવાર 7 ફેબ્રુઆરીએ રાષ્ટ્ર માતા રમાબાઈ આંબેડકરજીનાં જન્મ જયંતિ પ્રસંગે ટંકારા સ્થિત ડૉ. આંબેડકર ભવન ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ટંકારા તાલુકા અનુસુચિત સમાજનાં કર્મચારી ગણ તેમજ સુરત, મહારાષ્ટ્રથી ભંતે અમર જ્યોતિ, ભંતે આનંદ તેમજ ભિખ્ખું ધમ્મ રત્નજી ઉપસ્થિત રહ્યાં હતાં.ધુલિયા મહારાષ્ટ્રથી પધારેલાં ભંતે અમર જ્યોતિજીએ ધમ્મ દેશના આપી હતી. ત્યાર બાદ આયુ. બેબી પારમિતા ચૌહાણે સુંદર કેક કાપીને માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે કર્મશીલ નાગજીભાઈ ચૌહાણ, રમેશભાઈ રાઠોડ, અશોકભાઈ ચાવડા, જયંતિભાઈ સારેસા, બાબુભાઈ સારેસા,
હસમુખભાઈ સોલંકી, કિશનભાઈ સારેસા, મહેશભાઈ સારેસા, જસવંતભાઈ ચાવડા, એડવોકેટ મનશુખભાઈ ચૌહાણ, સુરેશભાઈ પરમાર, હિમ્મતભાઈ સારેસા, કૌશિકભાઈ પારિયા, નાગસેન નાગવંશી, કૃપાલ બૌદ્ધ, દિલિપભાઈ જાદવ, દેવરાજ પારિયા, પ્રવિણભાઈ પાંચાલ, નાથાલાલ વાઘેલા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.