વાંકાનેરના હસનપર નજીક ટ્રેક્ટર ચાલકે બાઈકને હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત
અપમૃત્યુના બે બનાવ: વાંકાનેરના ગારિડા ગામ નજીક અજાણ્યા યુવાન અને દિવાનપરામાં દુકાનની અંદર આધેડે કર્યો આપઘાત
SHARE
અપમૃત્યુના બે બનાવ: વાંકાનેરના ગારિડા ગામ નજીક અજાણ્યા યુવાન અને દિવાનપરામાં દુકાનની અંદર આધેડે કર્યો આપઘાત
વાંકાનેર તાલુકાના ગારિડા ગામ નજીક ખોડીયાર માતાની ભેખડ પાસે ઝાડ સાથે અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે વાંકાનેર સિટીમાં દિવાનપરા વિસ્તારમાં દુકાનની અંદર આધેડે ગળાફાંસો ખાઈ લેતા તેનું પણ મોત નીપજયું હતું જે બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે.
વાંકાનેર તાલુકાના ગારિડા ગામે હાઇવે રોડ નજીક તીર્થ હોટલની સામેના ભાગમાં ખોડીયાર માતાની ભેખડ ઉપર લીમડાના ઝાડ સાથે કોઈ અજાણ્યા 40 થી 45 વર્ષના યુવાને ગુલાબી કલરની ચાદરના લીરા વડે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની યુનુસભાઈ અલીભાઈ માથકિયા (51) રહે. ગારિડા તાલુકો વાંકાનેર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.
વાંકાનેર શહેરના પાતળિયા રોડ ઉપર આવેલ દિવાનપરામાં રહેતા શૈલેષભાઈ દિનેશભાઈ કાપડિયા (50) નામના આધેડે પોતાના ભાઈની મંડપ સર્વિસની દુકાનમાં પોતાની જાતે પંખા સાથે મંડપ સર્વિસના કપડાની દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક આધેડના લગ્ન થયેલ ન હતા જોકે તેને આ પગલું કયા કારણસર ભર્યું છે તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે