મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત


SHARE







મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે રહેતા આધેડ દવા પી ગયા હતા અને ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું.તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ કરી હતી.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના મકનસર ગામે આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ હીરાભાઈ ઠાકોર (૫૦) નામના આધેડે કોઈ કારણોસર પોતાના ઘરે હતા ત્યારે દવા પી લેતા તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીના સામાકાંઠેની શિવમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપી હતી.જોકે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થતાં તાલુકા પોલીસ મથક ખાતે નોંધ થવા પામી હતી.જેની આગળની તપાસ એ.એચ.પરમાર દ્વારા કરવામાં આવી હતી.હાલ કયા કારણોસર સુરેશભાઈ ઠાકોરે અંતિમ પગલું ભર્યું ? તે તપાસના વિષય છે.

વાહન અકસ્માતમાં ઇજા

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા મનીષભાઈ નાથાભાઈ સાગઠીયા નામનો૧૭ વર્ષનો યુવાન ગામના પાટીયા પાસેથી પગપાળા જતો હતો ત્યારે બાઇક ચાલકે તેને હડફેટે લેતા ઇજા પામેલ હાલતમાં તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. બનાવની પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

ટંકારાના મીતાણા ગામે રહેતા મુકેશ તકેદિયાભાઈ વસુનીયા નામના ૧૮ વર્ષના યુવાનને  તા.૨૫-૮ ના રાત્રીના બે વાગ્યે ઘરેથી ચાર લોકો દ્વારા ઉઠાવી જવામાં આવ્યો હતો અને બાદમાં તેને માર મારવામાં આવ્યો હતો જેની ટંકારા હોસ્પિટલે પ્રાથમિક સારવાર લઈને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલમાંથી બનાવ અંગે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના એસ.એમ.કમોયા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ બનાવ અંગે આગળની તપાસ માટે ટંકારા પોલીસને જાણ કરાઈ હતી.

આધેડ સારવારમાં

વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ધીરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ જોશી નામના ૬૩ વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે પુલ દરવાજા નજીક વાહન સ્લીપ થતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.તે રીતે જ સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના દેગામ ખાતે રહેતા કાશીબેન સુંડાભાઈ કલાડિયા નામના ૮૦ વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે હળવદના સરંભડા અને પાંડા તીરથના રસ્તે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા થતા અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી નજીકના ઘુંટુ ગામે રહેતા પ્રકાશભાઈ રતિલાલ દેથરીયા નામના ૩૨ વર્ષના યુવાનને ઘુંટુ ગામે આવેલ બાલાજી કાંટા નજીક કંઈક જનાવર કરડી ગયેલ હોય તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે






Latest News