કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મદિવસ નિમિતે વિવિધ સંસ્થાઓ-સંગઠનો સાથે સેવાકીય કાર્યક્રમ યોજાયા ​​​​​​​મોરબીમાં દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધાના અરજી પત્રક ૨૭ માર્ચ સુધી ભરી શકાશે મોરબીમાં  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાશે માળીયા (મી)ના બગસરા ગામે તળાવની બાજુમાં નીલ ગાયનો શિકાર મોરબીમાં બંધ થતા સિરામિક કારખાનાઓને લઇને રાજ્યના મુખ્યમંત્રી પણ ચિંતિત, મદદ માટે તૈયારી દર્શાવી: મનોજભાઈ એરવાડિયા મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતા સિરામિક કારખાનાઓ બંધ : શ્રમિકોને રહેવા-રાશનની વ્યવસ્થા કરાવતા કારખાનેદારો-કોન્ટ્રાકટરો મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સોઓરડીના લોકોની વ્યથાને સાંભળી
Breaking news
Morbi Today

મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી


SHARE













મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી

મોરબીના વિરપર ગામે આવેલ બાપા સીતારામ મઢુલી ખાતે ગણેશ ચતુર્થી અવસર નિમિત્તે ડૉ.લહેરૂ અને લહેરૂ પરિવાર દ્વારા ગણેશજીનું સ્થાપન, પૂજન અને યજ્ઞાદિક વિધિવિધાનો સાથે ગણેશજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.સિનિયર સીટીઝન ફાઉન્ડેશન- મોરબીના મહાનુભાવો, ફાઉન્ડેશનના હોદેદારશ્રીઓ અને સદસ્યગણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પ્રમુખ ર્ડો. બી.કે.લહેરૂ અને ડૉ.અનીલ મહેતાએ પ્રાસંગિક વકતવ્ય આપેલ. કાર્યક્રમને અંતે લહેરૂ પરિવાર દ્વારા ભોજનપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.સિનિયર સિટીઝન ફાઉન્ડેશન-મોરબી દ્વારા ડૉ. લહેરૂનું ઉચિત સન્માન કરવામાં આવ્યું હતું.મહારાજ બાપુ ગુરૂ શામજી બાપુ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે ડૉ. ભાવેશ જેતપરિયા, ઉપપ્રમુખ એન. એમ.ચડાસણિયા, લક્ષ્મણભાઈ દેત્રોજા, રેખાબેન ટાંક, ઉર્મિલાબેન લહેરુ, સવજીભાઈ અઘારા, એડ.જગદીશભાઈ ઓઝા, કે.પી.ભાગિયા, પી.એન.રાકજા વિગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા મદદરૂપ બન્યા હતા.

 








Latest News