મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી


SHARE







મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી

મોરબીના વિરપર ગામે આવેલ બાપા સીતારામ મઢુલી ખાતે ગણેશ ચતુર્થી અવસર નિમિત્તે ડૉ.લહેરૂ અને લહેરૂ પરિવાર દ્વારા ગણેશજીનું સ્થાપન, પૂજન અને યજ્ઞાદિક વિધિવિધાનો સાથે ગણેશજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.સિનિયર સીટીઝન ફાઉન્ડેશન- મોરબીના મહાનુભાવો, ફાઉન્ડેશનના હોદેદારશ્રીઓ અને સદસ્યગણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પ્રમુખ ર્ડો. બી.કે.લહેરૂ અને ડૉ.અનીલ મહેતાએ પ્રાસંગિક વકતવ્ય આપેલ. કાર્યક્રમને અંતે લહેરૂ પરિવાર દ્વારા ભોજનપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.સિનિયર સિટીઝન ફાઉન્ડેશન-મોરબી દ્વારા ડૉ. લહેરૂનું ઉચિત સન્માન કરવામાં આવ્યું હતું.મહારાજ બાપુ ગુરૂ શામજી બાપુ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે ડૉ. ભાવેશ જેતપરિયા, ઉપપ્રમુખ એન. એમ.ચડાસણિયા, લક્ષ્મણભાઈ દેત્રોજા, રેખાબેન ટાંક, ઉર્મિલાબેન લહેરુ, સવજીભાઈ અઘારા, એડ.જગદીશભાઈ ઓઝા, કે.પી.ભાગિયા, પી.એન.રાકજા વિગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા મદદરૂપ બન્યા હતા.

 






Latest News