મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ અને ટેકનોલોજી સેન્ટરનું ભૂમિપૂજન


SHARE











વાંકાનેરમાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ અને ટેકનોલોજી સેન્ટરનું ભૂમિપૂજન

વાંકાનેર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલ આંખની હોસ્પિટલ અને બંધુ સમાજ દવાખાનાનું સંચાલન કરવામાં આવી રહયું હોય, જેનો લાભ સમગ્ર પંથકના નાગરીકો લઇ રહયાં છે.

ત્યારે ટ્રસ્ટ દ્વારા આરોગ્ય સેવાના વિસ્તાર સાથે વધુને વધુ લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળી રહે તે માટે વાંકાનેર શહેર નજીક જડેશ્વર રોડ પર કિરણ સીરામીક ગ્રાઉન્ડ સામે વિશાળ જગ્યામાં બનાવા જઇ રહેલ નવી મલ્ટી સ્પેશયાલીટી હોસ્પિટલ અને ટેકનોલોજી સેન્ટરનું ભુમીપુજન કરવામાં આવ્યું હતું.આ તકે ટ્રસ્ટને સમર્પીત લંડનથી આવેલા દાતાઓ-ડોકટરો તથા ટ્રસ્ટી મંડળ સહીતના મહાનુભાવો દ્વારા સંસ્થાની પ્રવૃતિઓ પર પ્રકાશ પાડી જણાવ્યું હતું કે, દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સમગ્ર મોરબી જીલ્લામાં એકમાત્ર ટ્રસ્ટ છે, જે લોકોને આંખમાં મોતીયા અને ત્રાસી આંખના ઓપરેશનની વિનામુલ્યે અને રાહતદરે સુવીધા પુરી પાડે છે. દેવદયા ડાયગ્નોસ્ટીક સેન્ટર દ્વારા રાહત દરે વૈદકીય સારવાર પણ આપવામાં આવે છે.આ ઉપરાંત અત્યાર સુધીમાં રપ જેટલી સ્કુલોને નવી બનાવી છે અથવા ફર્નીચર, બેન્ચીસ વગેરેની સહાય કરેલી છે. ભવિષ્યમાં આ સંસ્થાનું લક્ષ્ય ટેકનોલોજી સેન્ટર પણ બનાવાયું છે. જેમાં વિદ્યાર્થીઓને અત્યારની અત્યાધુનીક ટેકનોલોજી સાથે સુસંગત કરાવી શકાય, જે બાદ ટ્રસ્ટના નવા પ્રોજેકટનું ભુમિપુજન કરાયું હતું






Latest News