મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ અને ટેકનોલોજી સેન્ટરનું ભૂમિપૂજન


SHARE













વાંકાનેરમાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ અને ટેકનોલોજી સેન્ટરનું ભૂમિપૂજન

વાંકાનેર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલ આંખની હોસ્પિટલ અને બંધુ સમાજ દવાખાનાનું સંચાલન કરવામાં આવી રહયું હોય, જેનો લાભ સમગ્ર પંથકના નાગરીકો લઇ રહયાં છે.

ત્યારે ટ્રસ્ટ દ્વારા આરોગ્ય સેવાના વિસ્તાર સાથે વધુને વધુ લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળી રહે તે માટે વાંકાનેર શહેર નજીક જડેશ્વર રોડ પર કિરણ સીરામીક ગ્રાઉન્ડ સામે વિશાળ જગ્યામાં બનાવા જઇ રહેલ નવી મલ્ટી સ્પેશયાલીટી હોસ્પિટલ અને ટેકનોલોજી સેન્ટરનું ભુમીપુજન કરવામાં આવ્યું હતું.આ તકે ટ્રસ્ટને સમર્પીત લંડનથી આવેલા દાતાઓ-ડોકટરો તથા ટ્રસ્ટી મંડળ સહીતના મહાનુભાવો દ્વારા સંસ્થાની પ્રવૃતિઓ પર પ્રકાશ પાડી જણાવ્યું હતું કે, દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સમગ્ર મોરબી જીલ્લામાં એકમાત્ર ટ્રસ્ટ છે, જે લોકોને આંખમાં મોતીયા અને ત્રાસી આંખના ઓપરેશનની વિનામુલ્યે અને રાહતદરે સુવીધા પુરી પાડે છે. દેવદયા ડાયગ્નોસ્ટીક સેન્ટર દ્વારા રાહત દરે વૈદકીય સારવાર પણ આપવામાં આવે છે.આ ઉપરાંત અત્યાર સુધીમાં રપ જેટલી સ્કુલોને નવી બનાવી છે અથવા ફર્નીચર, બેન્ચીસ વગેરેની સહાય કરેલી છે. ભવિષ્યમાં આ સંસ્થાનું લક્ષ્ય ટેકનોલોજી સેન્ટર પણ બનાવાયું છે. જેમાં વિદ્યાર્થીઓને અત્યારની અત્યાધુનીક ટેકનોલોજી સાથે સુસંગત કરાવી શકાય, જે બાદ ટ્રસ્ટના નવા પ્રોજેકટનું ભુમિપુજન કરાયું હતું




Latest News