મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

વાંકાનેરના ગાત્રાળનગરમાં એસીડ પી જનાર યુવકનું સારવારમાં મોત


SHARE









વાંકાનેરના ગાત્રાળનગરમાં એસીડ પી જનાર યુવકનું સારવારમાં મોત

વાંકાનેરના ગાત્રાળનગરમાં એસીડ પી જનાર યુવકનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં મોત નીપજ્યું હતું. મનીષભાઈ ભરતભાઈ ચાવડા (ઉંમર વર્ષ 30, રહે. ગાત્રાળનગર ગામ, તાલુકો વાંકાનેર) ગઈકાલે બપોરે 1 વાગ્યાં આસપાસ પોતે પોતાના ગામમાં હતો ત્યારે એસીડ પી જતા પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

અહીં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે સાંજે 7:30 વાગ્યાં આસપાસ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. પરિવારજનોએ જણાવ્યું કે મૃતક મનીષ 4 ભાઈ 2 બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં 2 પુત્ર છે. તે સેન્ટીંગ કડિયા કામની મજૂરી કરતો હતો. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.બીજા બનાવમાં નરશીભાઈ કાનાભાઈ મજેવડીયા (ઉંમર વર્ષ 65, રહે. ભાલકા ગામ, તાલુકો વેરાવળ, જીલ્લો ગીર સોમનાથ) ગઈ તા.27/9 ના રોજ બપોરે 2 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી જતા પ્રથમ લાઈફ લાઈન હોસ્પિટલ વેરાવળ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં લાવતા દાખલ કરાયા હતા. જેનું ચાલુ સારવાર દરમિયાન ગત મોડી રાત્રે મૃત્યુ નીપજ્યું હતું






Latest News