મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

વાંકાનેરના ગાત્રાળનગરમાં એસીડ પી જનાર યુવકનું સારવારમાં મોત


SHARE













વાંકાનેરના ગાત્રાળનગરમાં એસીડ પી જનાર યુવકનું સારવારમાં મોત

વાંકાનેરના ગાત્રાળનગરમાં એસીડ પી જનાર યુવકનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં મોત નીપજ્યું હતું. મનીષભાઈ ભરતભાઈ ચાવડા (ઉંમર વર્ષ 30, રહે. ગાત્રાળનગર ગામ, તાલુકો વાંકાનેર) ગઈકાલે બપોરે 1 વાગ્યાં આસપાસ પોતે પોતાના ગામમાં હતો ત્યારે એસીડ પી જતા પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

અહીં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે સાંજે 7:30 વાગ્યાં આસપાસ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. પરિવારજનોએ જણાવ્યું કે મૃતક મનીષ 4 ભાઈ 2 બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં 2 પુત્ર છે. તે સેન્ટીંગ કડિયા કામની મજૂરી કરતો હતો. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.બીજા બનાવમાં નરશીભાઈ કાનાભાઈ મજેવડીયા (ઉંમર વર્ષ 65, રહે. ભાલકા ગામ, તાલુકો વેરાવળ, જીલ્લો ગીર સોમનાથ) ગઈ તા.27/9 ના રોજ બપોરે 2 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી જતા પ્રથમ લાઈફ લાઈન હોસ્પિટલ વેરાવળ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં લાવતા દાખલ કરાયા હતા. જેનું ચાલુ સારવાર દરમિયાન ગત મોડી રાત્રે મૃત્યુ નીપજ્યું હતું




Latest News