મોરબી નજીક જેટકોના સબ સ્ટેશનમાં બ્લાસ્ટ થયા બાદ વિકરાળ આગ: વીજ પુરવઠો ખોરવાઈ ગયો ડુપ્લિકેટ મતદારોને રોકવા મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરો: મોરબીમાં રહેતા કે.ડી. બાવરવાની માંગ મોરબી : એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિમાં પ્રતિનિધી તરીકે પી.પી.જોષીની નિમણૂંક મોરબી નજીક બનાવેલ ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ, સમાજનું સ્નેહમિલન અને રાજ્ય મંત્રીનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં શાખાના સ્વયંસેવક દ્વારા દીકરીનો જન્મદિવસ સેવા કાર્યથી ઉજવાયો માળીયા (મી)ના નાની બરાર ગામે શાળાના વિધાર્થીઓને પિગી બેંક આપી નવા સત્રની કરી શરૂઆત વાંકાનેરમાં અંધશ્રદ્ધા ફેલાવતી ભુઈ હનીફાબેન પઠાણની ધતિંગ લીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કર્યો પર્દાફાશ: લોકોની માફી માંગીને હવે ધતિંગ કર્યા બંધ મોરબી જિલ્લામાં સરદાર પટેલની ૧૫૦ ની જન્મ જયંતીના અવસર પર પદયાત્રા સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં શાખાના સ્વયંસેવક દ્વારા દીકરીનો જન્મદિવસ સેવા કાર્યથી ઉજવાયો


SHARE



























મોરબીમાં શાખાના સ્વયંસેવક દ્વારા દીકરીનો જન્મદિવસ સેવા કાર્યથી ઉજવાયો

લાલબાગ ઉપનગર સરસ્વતી પ્રભાત શાખાના સ્વયંસેવક તથા સિરામિક ટ્રેડિંગના વ્યવસાયી હર્ષદભાઈ મોહનભાઈ ઉઘરેજાએ તેમની દીકરી દિત્યાનો તૃતીય જન્મદિવસ અનોખી રીતે ઉજવી સામાજિક સમરસતા અને નાગરિક કર્તવ્યના પંચ પરિવર્તન બિંદુઓને સાર્થક બનાવ્યા હતા તકે સેવા ભારતી ગુજરાત સંલગ્ન મોરબી ખાતે સેવા વસ્તી વિસ્તારમાં ચાલતા ત્રણ સંસ્કાર કેન્દ્રોના 85 થી વધુ બાળકોને સ્કૂલ કીટ અને ચોકલેટ વિતરણ કરી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મોરબી જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમમાં સરસ્વતી પ્રભાત શાખાના મુખ્ય શિક્ષક મહેન્દ્રભાઈ જાકાસણીયા અને હર્ષદભાઈની ધર્મપત્ની પણ સહભાગી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દિત્યાનો પ્રથમ જન્મદિવસ વડિલ વંદના અને બીજા જન્મદિવસ નિમિતે વૃદ્ધાશ્રમમાં વડિલોને ભોજન કરાવી ઉજવવામાં આવ્યો હતો.
















Latest News