મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે
Breaking news
Morbi Today

મોરબીના લોકોને સારી સુવિધાઓ આપવાનું આયોજન કરવા માટે મહાપાલિકાના અધિકારીઓની ચિંતન શિબિર યોજાઇ


SHARE













મોરબીના લોકોને સારી સુવિધાઓ આપવાનું આયોજન કરવા માટે મહાપાલિકાના અધિકારીઓની ચિંતન શિબિર યોજાઇ

મોરબી મહાપાલિકાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આજે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર ખાતે મહાપાલિકાના કમિશનરની હાજરીમાં મહાપાલિકાના કર્મચારીઓ માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને આગામી સમયમાં મોરબી શહેરના લોકોને સરકારની વિવિધ યોજનાઓની અમલવારી કરીને કઈ રીતે સારામાં સારી સુવિધાઓ પૂરી પાડી શકાય તેનાનું ચિંતન અધિકારીઓએ દ્વારા કરવામાં આવ્યું હતું

મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને આજે મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સૌપ્રથમ એક કલાક યોગાનું સેશન રાખવામાં આવ્યું હતું ત્યારબાદ મ્યુનિસિપલ ગવર્નન્સના જુદા જુદા પાંચ ટોપિક ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને શહેરી વિસ્તારમાંથી આવતી સમસ્યાઓ અને તેના સમાધાન ઉપર ચર્ચા કરી હતી અને મોરબીના લોકોને સારામાં સારી સુવિધાઓ કઈ રીતે આપી શકાય તેના માટે લાંબા ગાળાનું આયોજન, ઇન્ફાસ્ટ્રક્ચર, મ્યુનિસિપલ ગવર્નન્સ, મ્યુનિસિપલ ફાઇનાન્સ જેવા વિવિધ મુદ્દાઓ પર અધિકારી દ્વારા કર્મચારીઓને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યો હતો અને ખાસ કરીને મોરબી શહેરના લોકોને વધુ સારી સુવિધાઓ આગામી સમયમાં કઈ રીતે આપી શકાય તેના મૂળ ઉદ્દેશ સાથે આ ચિંતન શિબિરનું આયોજન કમિશનરના માર્ગદર્શન કરવામાં આવ્યું હતું






Latest News