કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીના લોકોને સારી સુવિધાઓ આપવાનું આયોજન કરવા માટે મહાપાલિકાના અધિકારીઓની ચિંતન શિબિર યોજાઇ


SHARE









મોરબીના લોકોને સારી સુવિધાઓ આપવાનું આયોજન કરવા માટે મહાપાલિકાના અધિકારીઓની ચિંતન શિબિર યોજાઇ

મોરબી મહાપાલિકાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આજે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર ખાતે મહાપાલિકાના કમિશનરની હાજરીમાં મહાપાલિકાના કર્મચારીઓ માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને આગામી સમયમાં મોરબી શહેરના લોકોને સરકારની વિવિધ યોજનાઓની અમલવારી કરીને કઈ રીતે સારામાં સારી સુવિધાઓ પૂરી પાડી શકાય તેનાનું ચિંતન અધિકારીઓએ દ્વારા કરવામાં આવ્યું હતું

મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને આજે મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સૌપ્રથમ એક કલાક યોગાનું સેશન રાખવામાં આવ્યું હતું ત્યારબાદ મ્યુનિસિપલ ગવર્નન્સના જુદા જુદા પાંચ ટોપિક ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને શહેરી વિસ્તારમાંથી આવતી સમસ્યાઓ અને તેના સમાધાન ઉપર ચર્ચા કરી હતી અને મોરબીના લોકોને સારામાં સારી સુવિધાઓ કઈ રીતે આપી શકાય તેના માટે લાંબા ગાળાનું આયોજન, ઇન્ફાસ્ટ્રક્ચર, મ્યુનિસિપલ ગવર્નન્સ, મ્યુનિસિપલ ફાઇનાન્સ જેવા વિવિધ મુદ્દાઓ પર અધિકારી દ્વારા કર્મચારીઓને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યો હતો અને ખાસ કરીને મોરબી શહેરના લોકોને વધુ સારી સુવિધાઓ આગામી સમયમાં કઈ રીતે આપી શકાય તેના મૂળ ઉદ્દેશ સાથે આ ચિંતન શિબિરનું આયોજન કમિશનરના માર્ગદર્શન કરવામાં આવ્યું હતું






Latest News