મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના વાડી વિસ્તાર પહેલા સુવિધા પછી વેરા: સ્થાનિક લોકોએ કમિશ્નરને આપ્યું આવેદનપત્ર


SHARE









મોરબીના વાડી વિસ્તાર પહેલા સુવિધા પછી વેરા: સ્થાનિક લોકોએ કમિશ્નરને આપ્યું આવેદનપત્ર

મોરબી મહાપાલિકા વિસ્તારમાં આવેલ વાડી વિસ્તારમાં વેરાની વસુલાત માટે પહેલા નોટિસ અને પછી વોરંટ ઇશ્યૂ કરવામાં આવેલ છે જેથી કરીને સ્થાનિક લોકો આ બાબતે મહાપાલીકાના કમિશ્નરને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને ત્યાર કહ્યું હતું કે, હાલમાં વેરા વસૂલ માટે આડેધડ નોટિસો આપવામાં આવેલ છે જો કે, હજુ સુધી આ વિસ્તારમાં રહેતા લોકોને સારી પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવેલ નથી જેથી પહેલા વાડી વિસ્તારમાં રહેતા લોકોને સુવિધા આપવામાં આવે ત્યાર બાદ લોકો વેરો ભરવા માટે તૈયાર છે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં વાડીઓ આવેલી છે અને તે વાડી વિસ્તારમાં સતવારા સમાજના લોકો રહે છે અને તેઓને સારી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી તેના માટે એક નહીં પરંતુ અનેક વખત મહાપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ પ્રાથમિક સુવિધાઓ મળતી નથી તે હક્કિત છે તો પણ આ વિસ્તારમાં રહેતા લોકોને મહાપાલિકા દ્વારા પહેલા નોટિસ અને ત્યાર બાદ વોરંટ ઇશ્યૂ કરવામાં આવેલ છે જેથી સ્થાનિક લોકો કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને ત્યારે જણાવ્યુ હતું કે, તેઓને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી અને વેરાની વતુલાત માટે નોટીસો આપવામાં આવી રહી છે જેથી પહેલા સુવિધા આપવામાં આવે ત્યાર બાદ વેરો ભરવા માટે સ્થાનિક લોકો તૈયાર છે તેવી લોકોએ ખાતરી આપેલ હતી અને હાલમાં આડેધડ વેરો વસૂલ કરવા માટે રકમ લખીને નોટિસો આપવામાં આવેલ છે જેથી તેમાં રાહત આપવાની માંગ કરી હતી ત્યારે કમિશનરે જણાવ્યુ હતું કે, સરકાર દ્વારા વ્યાજ માફી માટે સમયાંતરે યોજના બહાર પાડવામાં આવતી હોય છે તેવી જ રીતે આગામી સમયમાં મોરબીમાં વેરા માફી માટે કમિશનર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે તેવી આવેદનપત્ર આપવા માટે આવેલા લોકોને બાહેધરી આપવામાં આવી હતી. ત્યારે લોકોએ પણ તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા આપવામાં આવે તો વેરો ભરવા માટે વાડી વિસ્તારમાં રહેતા લોકો તૈયાર છે તેવી ખાતરી આપવામાં આવી હતી.






Latest News