મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના માનસર ગામ નજીક જેટકોના સબ સ્ટેશનમાં ફરજ બજાવતો કર્મચારી ગુમ


SHARE







હળવદના માનસર ગામ નજીક જેટકોના સબ સ્ટેશનમાં ફરજ બજાવતો કર્મચારી ગુમ

હળવદ તાલુકાના માનસર ગામ પાસે આવેલ જેટકોના 400 કેવી સબ સ્ટેશન ખાતે નોકરી કરતો યુવાન ગુમ થઈ ગયેલ છે જેથી તેના પત્ની દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપવામાં આવતા પોલીસે તેની નોંધ કરીને ગુમ થયેલ યુવાનને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.

ધાંગધ્રામાં આવેલ સોની તલાવડી વડવાળી શેરીમાં રહેતા નીતાબેન હસમુખભાઈ ચાવડા (40)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓના પતિ હસમુખભાઈ કાનજીભાઈ ચાવડા (48) રહે. સોની તલાવડી વડવાળી શેરી ધાંગધ્રા વાળા ગત તા. 29/12 ના સાંજના 6:30 વાગ્યાથી ગુમ થયેલ છે તેવી ગુમસુધા ફરિયાદ આપી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદ તાલુકાના માનસર ગામે આવેલ જેટકોના 400 કેવી સબ સ્ટેશન ખાતે તેના પતિ ફરજ બજાવતા હતા અને ત્યાંથી તે ક્યાં ગયા છે તેનો કોઈ પતો નથી અને શોધવા છતાં કોઈ જગ્યાએથી તે મળી આવેલ નથી જેથી કરીને હાલમાં ગુમ થયેલ યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુમ થયેલા જેટકોના કર્મચારીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે






Latest News