મોરબીમાં આજથી ૯ વાગ્યા સુધી ધંધા રોજગાર ખુલ્લા રહેશે
SHARE









મોરબીમાં આજથી ૯ વાગ્યા સુધી ધંધા રોજગાર ખુલ્લા રહેશે
રાજ્ય સરકારે કોરોનાને લઇને નવી જાહેરાત કપી હતી જે મુજબ હવેથી મોરબીમાં તમામ દૂકાનદારો સવારના ૯ થી રાત્રીના ૯ સુધી ખુલી રાખી શકાશે.તેમજ કર્ફયુની મુદતમાં પણ એક કલાકનો ઘટાડો કરાતા હવે રાતના ૧૦ સુધી લોકો ઘર બહાર કામકાજ માટે જઇ શકશે.
સરકારના હુકમ મુજબ આજથી શહેરમાં રાત્રીના ૧૦ થી સવારના ૬ સુધી કર્ફયુ રહેશે કામ વગર બહાર ન નિકળવુ.તેમજ લોકો હવેથી તેમની દુકાન, વાણિજયક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેકસ, માર્કેટિંગ યાર્ડ, આઠવાડીક ગુજરીબજાર-હાટ, હેર સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિ સવારના ૯ થી રાત્રીના ૯ સુધી ખુલ્લા રાખી શકશે.હોટલો તેમજ રેસ્ટોરેન્ટ્સ રાત્રીના ૯ સુધી બેસવાની ક્ષમતાના ૬૦ ટકા અને કોરોના ગાઇડલાઇનનું પાલન સાથે ખુલ્લા રહી શકશે.હોટલ કે રેસ્ટોરેન્ટ્સમાં રાત્રીના ૧૨ સુધી હોમ ડિલીવરી ચાલુ રાખી શકાશે. તેમજ જીમ ૬૦ ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની શરતોને આધીન ચાલુ રાખી શકાશે.જાહેર બાગ-બગીચાઓ રાત્રીના ૯ સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ખુલ્લા રાખી શકાશે.લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૦૦ લોકોની મંજૂરી નોંધણી સાથે મળશે.અંતિમ ક્રીયા-દફન વિધીમાં ૪૦ વ્યકિતઆ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરી જોડાઇ શકશે.

