માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં આજથી ૯ વાગ્યા સુધી ધંધા રોજગાર ખુલ્લા રહેશે


SHARE











મોરબીમાં આજથી ૯ વાગ્યા સુધી ધંધા રોજગાર ખુલ્લા રહેશે
 

રાજ્ય સરકારે કોરોનાને લઇને નવી જાહેરાત કપી હતી જે મુજબ હવેથી મોરબીમાં તમામ દૂકાનદારો સવારના ૯ થી રાત્રીના ૯ સુધી ખુલી રાખી શકાશે.તેમજ કર્ફયુની મુદતમાં પણ એક કલાકનો ઘટાડો કરાતા હવે રાતના ૧૦ સુધી લોકો ઘર બહાર કામકાજ માટે જઇ શકશે.

સરકારના હુકમ મુજબ આજથી શહેરમાં રાત્રીના ૧૦ થી સવારના ૬ સુધી કર્ફયુ રહેશે કામ વગર બહાર ન નિકળવુ.તેમજ લોકો હવેથી તેમની દુકાન, વાણિજયક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેકસ, માર્કેટિંગ યાર્ડ, આઠવાડીક ગુજરીબજાર-હાટ, હેર સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિ સવારના ૯ થી રાત્રીના ૯ સુધી ખુલ્લા રાખી શકશે.હોટલો તેમજ રેસ્ટોરેન્ટ્સ રાત્રીના ૯ સુધી બેસવાની ક્ષમતાના ૬૦ ટકા અને કોરોના ગાઇડલાઇનનું પાલન સાથે ખુલ્લા રહી શકશે.હોટલ કે રેસ્ટોરેન્ટ્સમાં રાત્રીના ૧૨ સુધી હોમ ડિલીવરી ચાલુ રાખી શકાશે. તેમજ જીમ ૬૦ ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની શરતોને આધીન ચાલુ રાખી શકાશે.જાહેર બાગ-બગીચાઓ રાત્રીના ૯ સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ખુલ્લા રાખી શકાશે.લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૦૦ લોકોની મંજૂરી નોંધણી સાથે મળશે.અંતિમ ક્રીયા-દફન વિધીમાં ૪૦ વ્યકિતઆ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરી જોડાઇ શકશે.






Latest News