મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં આજથી ૯ વાગ્યા સુધી ધંધા રોજગાર ખુલ્લા રહેશે


SHARE











મોરબીમાં આજથી ૯ વાગ્યા સુધી ધંધા રોજગાર ખુલ્લા રહેશે
 

રાજ્ય સરકારે કોરોનાને લઇને નવી જાહેરાત કપી હતી જે મુજબ હવેથી મોરબીમાં તમામ દૂકાનદારો સવારના ૯ થી રાત્રીના ૯ સુધી ખુલી રાખી શકાશે.તેમજ કર્ફયુની મુદતમાં પણ એક કલાકનો ઘટાડો કરાતા હવે રાતના ૧૦ સુધી લોકો ઘર બહાર કામકાજ માટે જઇ શકશે.

સરકારના હુકમ મુજબ આજથી શહેરમાં રાત્રીના ૧૦ થી સવારના ૬ સુધી કર્ફયુ રહેશે કામ વગર બહાર ન નિકળવુ.તેમજ લોકો હવેથી તેમની દુકાન, વાણિજયક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેકસ, માર્કેટિંગ યાર્ડ, આઠવાડીક ગુજરીબજાર-હાટ, હેર સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિ સવારના ૯ થી રાત્રીના ૯ સુધી ખુલ્લા રાખી શકશે.હોટલો તેમજ રેસ્ટોરેન્ટ્સ રાત્રીના ૯ સુધી બેસવાની ક્ષમતાના ૬૦ ટકા અને કોરોના ગાઇડલાઇનનું પાલન સાથે ખુલ્લા રહી શકશે.હોટલ કે રેસ્ટોરેન્ટ્સમાં રાત્રીના ૧૨ સુધી હોમ ડિલીવરી ચાલુ રાખી શકાશે. તેમજ જીમ ૬૦ ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની શરતોને આધીન ચાલુ રાખી શકાશે.જાહેર બાગ-બગીચાઓ રાત્રીના ૯ સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ખુલ્લા રાખી શકાશે.લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૦૦ લોકોની મંજૂરી નોંધણી સાથે મળશે.અંતિમ ક્રીયા-દફન વિધીમાં ૪૦ વ્યકિતઆ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરી જોડાઇ શકશે.






Latest News