માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

માળીયામાં નવું બસસ્ટેશન બનાવવામાં આવે તેવું કે.ડી.બાવરવાની માંગ


SHARE













ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે, માળિયા (મી.) ખાતે બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવે તે જરૂરી છે કેમ, ભૂકંપ પહેલા તાલુકા કક્ષાના આ સેન્ટરમાં બસ સ્ટેન્ડની સુવિધા હતા જો કે, તે બસ સ્ટેન્ડ તૂટી ગયા પછી હજુ સુધી સરકાર દ્વારા નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલ નથી  

વધુમાં તેમણે જણાવ્યુ છે કે, આ અગાઉ પણ માળિયા (મી.) ખાતે બસ સ્ટેશનનું નિર્માણ કરવા માટે રજૂઆત કરી હતી અને માળિયા (મી.) ખાતે મોટું બસસ્ટેશન હતું જેનું નિર્માણ ૧૯૮૦ માં કરવામાં આવેલ હતું.  પરંતુ ૨૦૦૧ માં આવેલ ભયાનક  ભૂકંપમાં આ બસસ્ટેશન સંપૂર્ણ નાશ પામેલ હતું ત્યાર બાદ આજ સુધી માળિયા મીયાણા ખાતે બસસ્ટેશન બનાવવામાં આવેલ નથી. ત્યારે મળિયા(મી.)એ તાલુકા મથક છે અને તાલુકા લેવલની ઘણી કચેરીઓ તેમજ કોર્ટ માળિયા (મી.)માં આવેલ છે. આ ઉપરાંત કચ્છ-ભુજ તરફ જતી બધી જ બસો પણ અહીંથી જ પસાર થાય છે. ત્યારે મળીયા (મી.) ખાતે નવું બસસ્ટેશન બનાવવામાં આવે તો મુસાફરોની સુવિધામાં વધારો થાય તેમ છે માટે નવું બસસ્ટેશન બનાવવામાં આવે તેવી માંગ કરી છે




Latest News