મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયામાં “તું કરિયાવરમાં કઈ લાવી નથી” કહીને પરિણીતાને મરવા મજબૂર કરનાર સાસુ-દિયર સામે નોંધાયો ગુનો 


SHARE

















વાંકાનેરના વઘાસીયામાં “તું કરિયાવરમાં કઈ લાવી નથી” કહીને પરિણીતાને મરવા મજબૂર કરનાર સાસુ-દિયર સામે નોંધાયો ગુનો 

વાંકાનેર નજીક આવેલ વઘાસીયામાં રહેતી પરિણીતાએ થોડા દિવસો પહેલા એસિડ પી લીધું હતું જેથી કરીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જો કેરસ્તામાં પરિણીતાનું મોત નિપજ્યુ હતુ જે બનાવમાં મૃતક પરિણીતાની માતાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ખાતે તેની દીકરીને મરવાર માટે મજબૂર કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે અને તેની દીકરીના સાસુ અને દિયર દ્વારા તેની દીકરીને “તું કરિયાવરમાં કઈ લાવી નથી” તેવું કહીને મારવા માટે મજબૂર કરવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે થોડા સમય પહેલા વાંકાનેરના વઘાસીયામાં રહેતા વાસુદેવસિંહ ઝાલાના પત્ની પ્રિયાબાએ પોતાના ઘરે એસિડ પી લીધું હતું જેથી કરીને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ હતા જો કેરસ્તામાં પરિણીતાનું મોત નિપજ્યુ હતું ત્યારે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે એસિડ પીને આપઘાત કરનારા મહિલાનો લગ્નગાળો પાંચ વર્ષનો છે અને તેને સંતાનમાં ત્રણ બાળક છે આ બનાવમાં મૃતક પરિણીતાની માતાએ તેની દીકરીના સાસુ ઇન્દ્રાબા સબલસિંહ ઝાલા અને દિયર યોગીરાજસિંહ સબલસિંહ ઝાલા સામે તેની દીકરીને “તું કરિયાવરમાં કઈ લાવી નથી” તેવું કહીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ




Latest News