મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત મોરબીના ટીંબડી ગામે આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવાઇ મોરબી જિલ્લામાં અનાથ બાળકો માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ બની આશીર્વાદ ​​​​​​​મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ વાંકાનેર શહેરના એનડીપીએસના ગુનામાં આરોપી ઝડપાયો
Morbi Today

ટંકારા તાલુકામાંથી ગૌવંશોને કતલખાને લઈ જનાર બે આરોપીની જામીન અરજી નામંજુર


SHARE





ટંકારા પાસેથી થોડા દિવસો પહેલા કતલખાને લઈ જવાતા ગૌવંશોને વિહિપ અને બંજરંગ દળના કાર્યકર્તાઓ બચાવ્યા હતા અને ત્રણ શખ્સો સામે ટંકારા પોલીસમાં ફરિયાદ નોધાવી હતીઓ જે ગુનામાં પકડાયેલા બે આરોપીના જામીન માટે કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી જેને કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી છે

ટંકારા પોલીસમાં વિહિપ પ્રમુખ દ્વારા કતલખાને લઈ જતાં શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપી શૈલેશ માનસિંગ ચૌહાણ (રહે. નારણકા)સાગર લખમણ ઝાપડા (રહે-તરઘરી) અને હનીફ (રહે-કલ્યાણપર) વાળાઓ સામે ગુનો નોંધ્યો હતો અને જુદીજુદી જગ્યાએથી આઈશર ટ્રકમાં ગાયો ૭ તથા એક વાછરડો એમ કુલ આઠ અબોલ જીવને ભરીને કતલખાને લઈ જતાં હતા ત્યારે તેને પકડીને પશુ પ્રત્યે ધાતકીપણું દાખવવા અંગેની ફરિયાદ નોંધવી હતી જે ગુનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી જે બે આરોપીના જામીન માટે કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી ત્યારે સરકારી વકીલ પુજાબેન જોષીએ ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાનમાં રાખીને કોર્ટે બંને આરોપીના જમીન માટેની અરજીને નામંજૂર કરી છે 




Latest News