માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પરપ્રાંતીય મજૂરની કોહવાયેલી લાશ મળી 


SHARE













મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પરપ્રાંતીય મજૂરની કોહવાયેલી લાશ મળી 

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલા લખધીરપુર રોડ ઉપર ડીકમ્પોઝ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરતા પરપ્રાંતીય મજૂરનો મૃતદેહ હોવાનું ખુલ્યું હતું.

વધુમાં જાણવા મળ્યા પ્રમાણે મોરબી સીટી બી ડિવિજન પોલીસ મથકની હદમાં આવતા લખધીરપુર રોડ ઉપરથી તા.૧૧-૭ ના સવારના અગીયારેક વાગ્યાના અરસામાં એક લાશ મળી આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવતા આવતા બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ જઈને તપાસ કરી હતી અને લાશ ડીકમ્પોઝ હાલતમાં હોય રાજકોટ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેવામાં આવી હતી અને બાદમાં તપાસ કરતાં મૃતકનું નામ નિશિકાંતદાસ મોહનદાસ ગૌત્ર (૪૬) હોવાનું જાણવા મળ્યું હતું અને બીમારીવસ તેનું મોત નીપજ્યું હતુ.તેમ તપાસ અધીકારી એફ.આઇ.સુમરોએ જણાવ્યું છે.

મારામારીમાં ઇજા 

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા મોહનભાઈ હરિભાઈ ચાવડા નામના એકાવન વર્ષના આધેડને મિત્ર સાથે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો તે વાતમાં મારામારીમાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હોવાનું પોલીસે જણાવ્યું છે.મોરબી તાલુકાના અંદરણા ગામે રહેતા વિનોદભાઈ નાનજીભાઈ પરમાર નામના ૪૨ વર્ષના યુવાને કોઈ અકળ કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે ખસેડાયો હતો તાલુકા પોલીસ મથકના એસ.આર.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 






Latest News