મોરબીના મહેન્દ્રનગર પાસે ચોથા માળેથી નિચે પટકાયેલા યુવાનનું મોત
મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પરપ્રાંતીય મજૂરની કોહવાયેલી લાશ મળી
SHARE








મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પરપ્રાંતીય મજૂરની કોહવાયેલી લાશ મળી
મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલા લખધીરપુર રોડ ઉપર ડીકમ્પોઝ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરતા પરપ્રાંતીય મજૂરનો મૃતદેહ હોવાનું ખુલ્યું હતું.
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે મોરબી સીટી બી ડિવિજન પોલીસ મથકની હદમાં આવતા લખધીરપુર રોડ ઉપરથી તા.૧૧-૭ ના સવારના અગીયારેક વાગ્યાના અરસામાં એક લાશ મળી આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવતા આવતા બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ જઈને તપાસ કરી હતી અને લાશ ડીકમ્પોઝ હાલતમાં હોય રાજકોટ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેવામાં આવી હતી અને બાદમાં તપાસ કરતાં મૃતકનું નામ નિશિકાંતદાસ મોહનદાસ ગૌત્ર (૪૬) હોવાનું જાણવા મળ્યું હતું અને બીમારીવસ તેનું મોત નીપજ્યું હતુ.તેમ તપાસ અધીકારી એફ.આઇ.સુમરોએ જણાવ્યું છે.
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા મોહનભાઈ હરિભાઈ ચાવડા નામના એકાવન વર્ષના આધેડને મિત્ર સાથે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો તે વાતમાં મારામારીમાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હોવાનું પોલીસે જણાવ્યું છે.મોરબી તાલુકાના અંદરણા ગામે રહેતા વિનોદભાઈ નાનજીભાઈ પરમાર નામના ૪૨ વર્ષના યુવાને કોઈ અકળ કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે ખસેડાયો હતો તાલુકા પોલીસ મથકના એસ.આર.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”

